Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને : કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તમામ પક્ષના સ્ટાર પ્રચારકોએ જનતાને પોતાની તરફ ખેંચવા વધુમાં વધુ સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. ગુજરાતની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાંથી પણ મોટા નેતાઓ આવી પ્રચાર કરી રહ્યા છે. અનેકો મુદ્દાઓ વચ્ચે હવે રાજ્ય કૃષિમંત્રી કૈલાસ ચૌધરીએ અંબાજી ખાતે પાકિસ્તાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતà
પાકિસ્તાનની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને   કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તમામ પક્ષના સ્ટાર પ્રચારકોએ જનતાને પોતાની તરફ ખેંચવા વધુમાં વધુ સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. ગુજરાતની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાંથી પણ મોટા નેતાઓ આવી પ્રચાર કરી રહ્યા છે. અનેકો મુદ્દાઓ વચ્ચે હવે રાજ્ય કૃષિમંત્રી કૈલાસ ચૌધરીએ અંબાજી ખાતે પાકિસ્તાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. 
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ઇચ્છે છે પાકિસ્તાન : કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી
કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ અંબાજી ખાતે પોતાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, પાકિસ્તાનની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને. પાકિસ્તાન એવું ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને. આ ઉપરાંત મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "ગુજરાતની જનતાએ ભાજપના વિકાસની સાથે હોવાનું સ્વીકારી લીધું છે. તેમને હવે બંને પક્ષોમાંથી એક પણ ઉપર વિશ્વાસ નથી, કારણ કે બંનેની સ્થિતિ એવી છે કે, પહેલા તો કોંગ્રેસે દેશને લૂટ્યો અને ભ્રષ્ટાચાર કર્યો અને હવે જે આમ આદમી પાર્ટી છે કે જેની દિલ્હીમાં અને પંજાબમાં સરકાર છે ત્યા પણ તેમણે તે જ રમત શરૂ કરી, ભ્રષ્ટાચાર કરવાનું શરૂ કર્યું. અન્ના હજારેના ખભાનો ટેકો લઇને જે આવ્યા હતા તેમની સરકાર હેઠળ દિલ્હીમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. હું એટલે જ કહું છું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિક્કાની બે બાજુઓ છે. બંને પાર્ટીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે એટલે જ જનતાએ તેમને ઓળખી લીધા છે. ગુજરાતની જનતા ખૂબ જ સમજદાર છે. તેઓ આ બહુરૂપ લઇને આવેલા લોકો પર વિશ્વાસ નહીં કરે." 
182 બેઠકો માટે 1,621 ઉમેદવારો મેદાને
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં કુલ 93 બેઠકો માટે મતદાન થશે. જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે 833 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વળી, પ્રથમ તબક્કા માટે 788 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રાજ્યની 182 બેઠકો માટે 1,621 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોના ભાવિનો નિર્ણય રાજ્યની જનતા 8મી ડિસેમ્બરે કરશે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.