Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણીના પરિણામ પહેલા EVM મુદ્દો ઉઠ્યો, અખિલેશ યાદવે ECના અધિકારીઓ ઉપર EVMમાં ચેડા કરવાના લગાવ્યા આરોપ

દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પાંચ રાજ્યોમાં તમામ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 10 માર્ચે તમામ ચૂંટણીનું પરિણામ આવવા જઈ રહ્યું છે. તો બીજી તરફ તમામ એક્ઝિટ પોલમાં યોગી સરકારની સ્પષ્ટ બહુમતીથી જીતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે અખિલેશ યાદવ મુંજાયા છે. હવે અખિલેશ યાદવે ચૂંટણીના પરિણામ પહેલા જ EVM EVM ના રાગ આલાપી રહ્યા છે. ઉત્તરપ્રદેશના 10 માર્ચે આàª
ચૂંટણીના પરિણામ પહેલા evm
મુદ્દો ઉઠ્યો  અખિલેશ યાદવે ecના અધિકારીઓ ઉપર evmમાં ચેડા કરવાના લગાવ્યા આરોપ
Advertisement

દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પાંચ
રાજ્યોમાં તમામ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 10 માર્ચે તમામ
ચૂંટણીનું પરિણામ આવવા જઈ રહ્યું છે. તો બીજી તરફ તમામ એક્ઝિટ પોલમાં યોગી સરકારની
સ્પષ્ટ બહુમતીથી જીતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે અખિલેશ યાદવ
મુંજાયા છે. હવે અખિલેશ યાદવે ચૂંટણીના પરિણામ પહેલા જ
EVM EVM ના રાગ આલાપી રહ્યા છે. ઉત્તરપ્રદેશના 10 માર્ચે આવનારા પરિણામોની દરેક જણ રાહ
જોઈ રહ્યા છે. દરમિયાન યુપી ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં
ભાજપની સરકાર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના જાહેર થયેલા પરિણામો પર સમાજવાદી
પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. 


Advertisement

સપા પ્રમુખ અખિલેશ યાદવે
કહ્યું કે આ એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહ્યું છે. એટલું
જ નહીં
, તેણે ચૂંટણી પંચના અધિકારીઓ પર ઈવીએમ
સાથે ચેડા કરવાનો આરોપ પણ લગાવ્યો. 
અખિલેશ યાદવે કહ્યું કે એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે
ભાજપ જીતી રહી છે. લોકશાહીની આ છેલ્લી લડાઈ છે. ઉમેદવારોને જાણ કર્યા વગર ઈવીએમ
પહોંચાડવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડાએ વધુમાં કહ્યું કે જો આ રીતે
ઈવીએમનું પરિવહન થઈ રહ્યું છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. આ ચોરી છે. આપણે
આપણો મત બચાવવાની જરૂર છે. અમે આની વિરુદ્ધ કોર્ટમાં જઈ શકીએ છીએ પરંતુ તે પહેલા
હું લોકોને લોકશાહી બચાવવા માટે અપીલ કરવા માંગુ છું.

Advertisement

 

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી અયોધ્યા જીતી રહી છે,
તેથી ભાજપ ડરી ગઈ છે. સમાજવાદી પાર્ટીના વડા
અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓ
EVM સાથે ચેડાં કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સોનભદ્રમાં પણ સપાના નેતાઓએ
સ્ટ્રોંગ રૂમ કોમ્પ્લેક્સ તરફ જતા બે સરકારી વાહનોને પકડ્યા છે
, જેમાં સીલ અને મતપેટીઓ મળી આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે જો તમે વોટ
આપ્યો છે તો વોટ બચાવો. હવે ઈવીએમને ત્રણ દિવસ સુધી સાચવવા પડશે. ખેડૂતો જેમ બેઠા
છે તેમ કામદારોએ પણ બેસવું પડશે. લોકશાહીને બચાવવા દરેકે આગળ આવવું પડશે. નોંધનીય
છે કે યુપીમાં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને પરિણામ
10 માર્ચે જાહેર કરવામાં આવશે.

Tags :
Advertisement

Related News

featured-img
BAPS

સુરતમાં સિઝનલ ફ્લ્યૂના કેસમાં સતત વધારો, એક્શન મોડમાં સિવિલ તંત્ર

featured-img
BAPS

પગાર માંગવા ગયેલા કર્મચારીને માલીકે બચકું ભરી લીધું, જાણો વડોદરાનો વિચિત્ર કિસ્સો

featured-img
BAPS

સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે

featured-img
BAPS

સુરતમાં નીમ કોટેડ યુરીયાની 250 ગુણો ઝડપાઇ

featured-img
BAPS

સુરત શહેરમાં ભારે પવન સાથે પડ્યા બરફના કરા, ખેડૂતો થયા ચિંતિત

featured-img
BAPS

ઉનાળાનો પ્રારંભ થતાં જ સુરત પ્રાણી સંગ્રહાલયમાં અલાયદી વ્યવસ્થા કરાઇ

×

Live Tv

Trending News

.

×