Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉમેદવારો જ્યોતિષશાસ્ત્રના માર્ગે, કોઈએ ચા પીવાની બાધા લીધી તો કોઈએ શરૂ કરાવ્યા જાપ

ઉમેદવારો સંતો-ગુરૂના આશિર્વાદ લઈને આગળ વધ્યા છેજ્યોતિષીઓ પાસે જીતનો મંત્ર મેળવવા બાધા રાખી છેશુભ મૂહુર્તનું ખાસ ધ્યાન રાખે છે ઉમેદવારોગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસો જ બચ્યા છે. રાજકીય પક્ષોએ લોકશાહીના આ પર્વમાં પોતાના મુરતિયાઓ જાહેર કરી દીધાં છે. જેને ટિકિટ મળી છે તે ખુશખુશાલ છે, તો જેને ટિકિટ નથી મળી તે ખુશ રહેવાનો પ્રયાસ કરે છે. àª
01:12 PM Nov 12, 2022 IST | Vipul Pandya
  • ઉમેદવારો સંતો-ગુરૂના આશિર્વાદ લઈને આગળ વધ્યા છે
  • જ્યોતિષીઓ પાસે જીતનો મંત્ર મેળવવા બાધા રાખી છે
  • શુભ મૂહુર્તનું ખાસ ધ્યાન રાખે છે ઉમેદવારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસો જ બચ્યા છે. રાજકીય પક્ષોએ લોકશાહીના આ પર્વમાં પોતાના મુરતિયાઓ જાહેર કરી દીધાં છે. જેને ટિકિટ મળી છે તે ખુશખુશાલ છે, તો જેને ટિકિટ નથી મળી તે ખુશ રહેવાનો પ્રયાસ કરે છે. કહી ખુશી, કહી ગમનો માહોલ છે અને ક્યાંક રોષ છે. આ બધા વચ્ચે જે ઉમેદવારોએ ટિકિટ માટે હાઈકમાન્ડ પાસે લોબિંગ શરૂ કર્યું હતું અને ટિકિટ મળી ગઈ છે તે મુરતિયાઓ હવે જ્યોતિષીઓ (Astrologers) પાસે પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે એટલે કે ઉમેદવારો હવે જ્યોતિષીઓ પાસે જીતનો મંત્ર મેળવવા પહોંચી રહ્યાં છે.
જ્યોતિષી-સંતો-મહંતો-ધર્મગુરૂનું શરણ
ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો ટિકિટ મળ્યા પહેલા પણ જ્યોતિષીઓ પાસે જઈ આ વખતે પાર્ટી ટિકિટ આપશે કે કેમ? કોઈ વિધિ કરવી પડશે? જેવા પ્રશ્નો જ્યોતિષાચાર્યો પાસે મુક્યા હતા તો ટિકિટ મળી ગયા બાદ ક્યા શુભમૂહુર્તમાં ફોર્મ ભરવું, કયા રંગના કપડા પહેરીને ફોર્મ ભરવું તેવી સલાહ પણ જ્યોતિષીઓ પાસે ઉમેદવારોએ લીધી છે. એ સિવાય ઉમેદવાર પોતાના ગુરૂ, સંતો મહંતોના આશિર્વાદ લઈને આગળ વધ્યા છે. અમારા સુત્રો જણાવે છે કે, કેટલાક ઉમેદવારોએ તો જાપ પણ શરૂ કરાવી દીધાં છે. 
માનતા અને બાધાનો પણ સહારો
ટિકિટ મળી ગયા પછી વિધાનસભાના દ્વારેથી કોઈ પણ સંજોગોમાં પરત નથી ફરવું અને જીત મેળવવી છે તેવા મક્કમ નિર્ધાર સાથે ઉમેદવારો કોઈ પણ કચાશ છોડવા નથી માંગતા ત્યારે બાધા-માનતાનો સહારો પણ ઉમેદવારોએ લઈ લીધો છે. કોઈ ઉમેદવારોએ ચૂંટણી પરિણામ સુધી ચા નહી પિવાની બાધા લીધી છે તો કોઈએ કુળદેવી માતાએ ચાલીને જવાની બાધા લીધી છે. એ સિવાય નાની-મોટી મનાતાઓ તો દરેક ઉમેદવારોએ રાખી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતની આ બેઠકોનો ઈતિહાસ રહ્યો છે રસપ્રદ, આ વખતે જામશે ખરાખરીનો ખેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAssemblyElectionsAstrologyBJPcandidatesCongressGujaratGujaratElections2022GujaratFirst
Next Article