Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જવારા વિસર્જન કરવા ગયેલો યુવક ડૂબ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર તળાવમાં ગતરાત્રે જવારા વિસર્જન કરવા માટે ગયેલો યુવક લાપતા બનતા પાણીમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તળાવમાં નાવડી ઉતારીને મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ...
vadodara   જવારા વિસર્જન કરવા ગયેલો યુવક ડૂબ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર તળાવમાં ગતરાત્રે જવારા વિસર્જન કરવા માટે ગયેલો યુવક લાપતા બનતા પાણીમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તળાવમાં નાવડી ઉતારીને મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે, મોડી રાર્તે યુવકનો મૃતહેદ મળી આવ્યો છે. જે બાદ તેને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

Advertisement

યુવક લાપતા બન્યો હતો

તાજેતરમાં ગૌરી વ્રતની પૂર્ણાહૂતિ થઇ છે. જે બાદ ગૌરી વ્રતના જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરાના મહાદેવ તળાવમાં દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. જાગરણની રાત્રીએ શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવ ખાતે જવારા વિસર્જન કરવા માટે ગયેલો યુવક લાપતા બન્યો હતો. જેને લઇને આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તળાવમાં નાવડી ઉતારીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

મૃતદેહની ભાળ મેળવવામાં સફળતા મળી

મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં આખરે ફાયર બ્રિગેડને મૃતદેહની ભાળ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ મૃતદેહને રેસ્ક્યૂ કરીને પોસ્ટમોર્ટમની વધુ કાર્યવાહી અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો -- KHAMBHALIA માં મકાન ધરાશાઈ થતા ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ

Advertisement
Tags :
Advertisement

.