Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : પત્નિએ પ્રેમી સાથે મળીને પતિની ઠંડા કલેજે કરી હત્યા....!

અહેવાલ---સચિન શેખલીયા, બનાસકાંઠા બનાસકાંઠા (Banaskantha)ના થરાદમાં હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થરાદમાં પ્રેમિકાએ પ્રેમીને પામવા પ્રેમી સાથે મળી પતિનું જ કાસળ કાઢી દીધું હતું. પોલીસે પ્રેમી પંખીડાને ઝડપી લઇ વધુ તપાસ શરુ કરી છે. માતાએ ફરિયાદ નોંધાવી હતી થરાદના...
05:30 PM Jul 10, 2023 IST | Vipul Pandya
અહેવાલ---સચિન શેખલીયા, બનાસકાંઠા
બનાસકાંઠા (Banaskantha)ના થરાદમાં હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થરાદમાં પ્રેમિકાએ પ્રેમીને પામવા પ્રેમી સાથે મળી પતિનું જ કાસળ કાઢી દીધું હતું. પોલીસે પ્રેમી પંખીડાને ઝડપી લઇ વધુ તપાસ શરુ કરી છે.
માતાએ ફરિયાદ નોંધાવી હતી
થરાદના ચોટપા ગામમાં મિત્રની પત્ની સાથે આડાસંબંધ રાખનાર પ્રેમીએ  કાવતરૂ રચી મિત્રની હત્યા કરતા હડકંપ મચી છે. પત્નીએ પાણીમાં ઘેનની દવા પીવડાવીને પ્રેમી સાથે મળી રસ્સા વડે ગળે ફાંસો આપી ઠંડા કલેજે પતિની હત્યા કરી હતી. ઘટનાની સમગ્ર વિગતોની વાત કરીએ તો થરાદના ચોંટપા ગામે રહેતા શંકરભાઈ ઉદાજી ઠાકોર 29 જૂને ઘરેથી બહાર નીકળ્યા અને દિવસો વીત્યા બાદ પણ પરત ઘરે ન ફરતા એકનો એક પુત્ર ગુમાવનારા માતાએ થરાદ પોલીસ મથકે પહોંચી દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માતાની ફરિયાદને આધારે શંકરભાઈને શોધવા તપાસ હાથ ધરી હતી.
પ્રેમ સંબંધમાં હત્યા કરાઇ હોવાનો ખુલાસો 
પોલીસે શંકરભાઈને શોધવા તેના ગાઢ મિત્ર શિવાભાઇ કુંપાભાઇ પટેલ રહે.લવાણા (કળશ)ની પુછપરછ કરી તો તેણે પોલીસ સામે શંકરભાઈની  પત્ની ભાવના સાથે પ્રેમ સબંધ હોવાનું અને બંનેના પ્રેમ સબંધમા શંકરભાઈ કાંટા રૂપ  બનતા બંનેએ સાથે મળી શંકરભાઈની હત્યા કરી હોવાનું કબૂલી દીધું.
આ રીતે કરી હત્યા 
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે  શિવાને શંકરભાઈની પત્ની ભાવના સાથે બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ બંનેના પ્રેમ સંબંધમાં કાંટો રૂપ બનતા પતિનું કાસળ કાઢવા પ્રેમી પ્રેમિકાએ  કાવતરું ઘડ્યું અને પત્ની બે દિવસ પહેલા રાજીખુશીથી પોતાના પિયર જતી રહી જેથી કોઈને તેના ઉપર શક ન થાય.ત્યાર બાદ  29 જૂને શિવાભાઈ પટેલે  શંકરભાઈને ફરવા જવાનું કહીને બોલાવ્યો અને તેની પત્ની ભાવનાને પણ બોલાવી હતી. ત્યાર બાદ પ્રેમી અને પ્રેમિકા શંકરભાઈને  ગાડીમા ફરવા લઈ ગયા અને તે દરમિયાન જ ભાવનાએ પીવાના પાણીમાં ઘેનની દવા ઉમેરી શંકરભાઈને પીવડાવી દીધી. પાણી પીધા બાદ શંકરભાઈ બેભાન થઈ જતા શિવાએ ગાડી સાઈડમાં ઉભી રાખી અને તે બાદ બંનેએ સાથે મળી શંકરભાઈના ગળે દોરડું બાંધી દોરડા વડે ફાંસો આપી શંકરભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મૃતદેહ વડોદરા પાસે ફેંક્યો 
બંને શંકરભાઈના મૃતદેહને ગાડીમાં જ ડીસા પાલનપુર અમદાવાદ અને તે બાદ વડોદરા સુધી લઈ ગયા અને વડોદરાની જંબુસર ચોકડી નજીક સુમસામ રોડ દેખાતા રોડની સાઈડ પર ઉઘેલા ઘાસમાં શંકરભાઈનો મૃતદેહ ફેંકી દીધો હતો.અને પરત આવી ગયા હતા. પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડી પોકારે છે.અને કહેવત મુજબ જ આ બંને હત્યારાઓની કરતૂતનો પર્દાફાશ થઈ જતા પોલીસે હત્યારી પત્ની ભાવના અને તેના પ્રેમી શિવાભાઈ બંને સામે શંકરભાઈની હત્યા મામલે ગુનો નોંધી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ પણ વાંચો---હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ‘જળ પ્રલય’ જુઓ VIDEO
Tags :
BanaskanthaMurderpolice
Next Article