Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar: આત્મહત્યા કે પછી હત્યા? ઘરેથી રોજકોટ જવાનું કહીને નીકળ્યા અને ચોટીલાથી મળી લાશ

સુરેન્દ્રનગરમાં તબીબે આપઘાત કરતા ચકચાર સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પરની બની ઘટના હોટલના રૂમમાં ડૉ. જશુ ઉનાવાએ ગળેફાંસો ખાધો Surendranagar: સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર આવેલ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ ડોક્ટરે આત્મહત્યા કરતા ચકચાર જવા પામી છે. વિગતે વાત કરવામાં આવે...
surendranagar  આત્મહત્યા કે પછી હત્યા  ઘરેથી રોજકોટ જવાનું કહીને નીકળ્યા અને ચોટીલાથી મળી લાશ
  1. સુરેન્દ્રનગરમાં તબીબે આપઘાત કરતા ચકચાર
  2. સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પરની બની ઘટના
  3. હોટલના રૂમમાં ડૉ. જશુ ઉનાવાએ ગળેફાંસો ખાધો

Surendranagar: સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર આવેલ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ ડોક્ટરે આત્મહત્યા કરતા ચકચાર જવા પામી છે. વિગતે વાત કરવામાં આવે તો, હોટલના રૂમમાં છત સાથે કપડા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર સાવરકુંડલામાં ખાનગી હોસ્પિટલ ચલાવતા ડૉ.જશુભાઇ ઉનાવા હોવાનું બહાર આવ્યું છે. જો કે, ડૉક્ટરે શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો: Junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો

અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે મૃતક ઘરેથી રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ સુરેન્દ્રગર (Surendranagar) ચોટીલા હાઈવે પર આવેલી હોટલમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે ચોટીલા પોલીસે લાશને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીધી છે. જો કે, અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી આત્યા છે તે હજી સામે આવ્યું નથી, અત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ

પાલનપુરમાં પણ એક વ્યક્તિએ કરી હતી આત્મહત્યા

મહત્વની વાત એ છે કે, ગઈ કાલે બનાસકાંઠામાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર (Palanpur)માં યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી હતી. ગઈ કાલે પાલનપુર (Palanpur)માં આવેલી નવદીપ હોસ્પિટલના રૂમમાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જો કે, યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ કારણ સામે નથી આવ્યું.

Advertisement

આ પણ વાંચો: લાંબા વિરામ બાદ ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

નોંધનીય છે કે, યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પાલનપુર (Palanpur) પશ્ચિમ પોલીસે આત્મહત્યા કેસમાં તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પાલનપુર (Palanpur)માં મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવતા પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.