Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી, રત્નકલાકારે કર્યો આપઘાત

મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી...
surat  હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી  રત્નકલાકારે કર્યો આપઘાત
Advertisement
  1. મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ
  2. હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા
  3. સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ

Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત (Surat) જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ગતરોજ ઝેરી દવા પી લીધી હતી.

આ પણ વાંચો: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...

Advertisement

એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું

નોંધનીય છે કે, પરિવારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જુવાન દીકરાએ આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવાર હાલ શોકમાં ડૂબી ગયો છે. મૃતક રોહિતના ભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે, મૃતક રોહિત જે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક તેઓએ આપઘાત કરી લીધો હોવાનું સામે છે. હીરામાં આવેલ મંદીના કારણે આપઘાત કર્યા હોવાની અમને શંકા છે. હાલ તો બનાવને પગલે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ

સુરત (Surat)માં અત્યારે હજારોની સંખ્યામાં કામદારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે. સુરત (Surat)માં જો હીરા ઉદ્યોગમાં મંદી આવે તો કામદારોને મોટી અડચણો આવતી હોય છે. કારણ કે, મોટાભાગના કામદારો હીરા સાથે જ સંકળાયેલા છે અને તેના દ્વારા જ પોતાની રોજીરોટી રળતો હોય છે. જેથી અત્યારે અહીંના કામદારોને ભારે અડચણો પડી રહીં હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Bharuch: મારામારી કરવી ભારે પડી! ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 ની ધરપકડ

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

G7 Summit : સુરક્ષામાં ગંભીર ચૂક, આલ્બર્ટાના નો ફલાય ઝોનમાં પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું

featured-img
Top News

Canada G7: 'ઈરાનની હાર નિશ્ચિત છે...', G7 બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ટેકો આપ્યો

featured-img
આંતરરાષ્ટ્રીય

G-7 Summit Live : PM મોદી વૈશ્વિક નેતાઓ સાથે કયા મુદ્દાઓ પર કરશે ચર્ચા?

featured-img
Top News

Gujarati Top News : આજે 17 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 17 June 2025 : આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આર્થિક લાભ

featured-img
આંતરરાષ્ટ્રીય

PM Modi Gift: ચાંદીનું પર્સ અને કાશ્મીરની કાર્પેટ, PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને આપી ખાસ ભેટ

×

Live Tv

Trending News

.

×