Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Police નો Action Mode ON, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારાઓની ખેર નહી…

ગણપતિ મંડપ પર પથ્થરમારોને લઈને પોલીસ કમિશનરનું નિવેદન ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અધિકારીઓને સૂચના આપી ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓની સક્રિય થયા Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો,...
12:15 AM Sep 09, 2024 IST | VIMAL PRAJAPATI
Surat News
  1. ગણપતિ મંડપ પર પથ્થરમારોને લઈને પોલીસ કમિશનરનું નિવેદન
  2. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અધિકારીઓને સૂચના આપી
  3. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓની સક્રિય થયા

Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે આરામદાયક ટીઆર ગેસના સેલ છોડી દેવામાં આવ્યા છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે વાતની પુષ્ટિ પણ કરી છે.

આ પણ વાંચો: Surat: ગણપતિ પંડાલ પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

સ્થળ પરની સ્થિતિ અને કાર્યવાહી

સુરતના એ ઘટનાના સ્થળે, લાલગેટ અને ચોક બજારમાં પોલીસની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા મુસ્લિમ યુવકને પકડીને પોલીસને સોંપી દેવામા આવ્યો. પંડાલ સંચાલક અને સ્થાનિક યુવકો દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની ઘેરાવણી કરવામાં આવી હતી, જ્યારે ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધારાસભ્ય કાંતિ બલરે સ્પષ્ટ કર્યું કે, પથ્થરમારો કરનાર મુસ્લિમ યુવકોને છોડવામાં નહીં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Imran khan ને મુક્ત કરવાની માંગ સાથે પાક. માં બાંગ્લાદેશ જેવી સ્થિતિ

શાંતિ અને સમાધાન માટે પ્રયાસો

સ્થિતિને શાંત કરવા માટે હિન્દૂ સમુદાયના યુવકો અને પંડાલ સંચાલકોએ સમાજાવવાનું શરૂ કર્યું છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, ઘટનાના પરિણામે કોઈ પણ વધુ સંઘર્ષ ન થાય. પોલીસ કમિશનર અને ધારાસભ્ય કાંતિ બલરે ધારાસભ્ય કાંતિ બલરે પણ જણાવ્યું કે, સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને પોલીસ દ્વારા સઘન તપાસ અને કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર શહેરમાં સલામતી સુનિશ્ચિત કરી શકાય.

Tags :
Gujarati NewsSurat newsSurat PoliceSurat Police actionSurat Police Action Mode OnVimal Prajapati
Next Article