Surat: માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત
- માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીનું થયું મોત
- કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે કર્યો ન્યાય?
- ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો આરોપી શિવશંકર
Surat: સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, માંગરોળ દુષ્કર્મ કેસના આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે ન્યાય કર્યો હો તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આરોપી શિવશંકર લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. આરોપી શિવશંકર ચૌરસિયાનું તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં આરોપીને દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: Surat : ગેંગરેપ કેસમાં પોલીસે 3 પૈકી 2 નરાધમોને દબોચ્યા, એક બિહાર તો બીજો MP નો વતની
પોલીસની કામગીરીથી હેવાનોમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ
નોંધનીય છે કે, પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને હોસ્પિટલ લઈ જવાયો હતો. દુષ્કર્મના પાપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપ્યા હતા. જે મામલે અત્યારે અગત્યના સમાચાર સામે આવ્યાં છે. પોલીસની કામગીરીથી હેવાનોમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે પકડ્યો ત્યારે જ આરોપી ડરી ગયો હોવાની વાત સામે આવી હતી. નોંધનીય છે કે, ફાયરિંગ થયું ત્યારે જ આરોપીને લઘુશંકા થઇ ગઇ હતી. જો કે, અત્યારે આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Surat : વધુ એક દીકરી પીંખાઈ, હવસખોર વિધર્મી યુવકે આચર્યું અનેકવાર દુષ્કર્મ
આ પણ વાંચો: Surat : વિવિધ સ્થળે લઈ જઈ 16 વર્ષીય સગીરાને પીંખી નાંખનારા આરોપીને આકરી કેદની સજા