Porbandar: ધનતેરસથી બરડા જંગલ સફારીનો શુભારંભ, વન અને પર્યટન મંત્રી મુળુભાઇ બેરા કરશે ઉદ્ધાટન
- 29 ઓક્ટોબરે બરડા જંગલ સફારીનું ઉદ્ધાટન
- રાજ્યભરના પ્રવાસીઓને લેશે જંગલ સફારીનો લાભ
- દિવાળીનું વેકેશન માણવા માટે ઉમટી પડશે પ્રવાસીઓ
- દ્રારકા – સોમનાથ પ્રવાસીઓ જંગલ સફારીનો લાભ લેશે
Porbandar: પોરબંદરનો પ્રવસાન ક્ષેત્રે વિકાસ થતાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. દિવાળી સમયે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે. સાસણ બાદ હવે પોરબંદર (Porbandar)ના બરડામાં પ્રવાસીઓ જંગલ સફારીનો આનંદ માણી શકે તે માટે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા બરડા જંગલ સફારીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. આ બરડા જંગલ સફારીનું આગામી 29 ઓક્ટોબર એટલે કે ધનતેરસના શુભ દિવસે બપોરે 2 કલાકે વન અને પર્યટન મંત્રી (Forest and Tourism Minister) મુળુભાઇ બેરા (Mulubhai Bera)ના અધ્યક્ષ સ્થાને બરડા જંગલ સફારીનો ઉદ્ધાટન સમારોહ યોજાશે.
બરડા ડુંગરનો વિસ્તાર એટલે ગીર પછી એશિયાઇ સિંહોનું બીજું ઘર
143 વર્ષ પછી પોરબંદરના બરડામાં સિંહ પરિવારનો પુન: વસવાટ શક્ય બન્યો છે. માંગરોળ દરિયાઇ પટ્ટીથી કુદરતી અને વન વિભાગના પ્રયાસોથી બરડામાં સિંહ પરિવાર ઘર વાપસી થઇ છે. બરડા ડુંગરનો વિસ્તાર ગીર પછી એશિયાઇ સિંહોનું બીજું ઘર કહેવાય છે. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં અનેક વન્ય પ્રાણીઓ, કુદરતી ઝરણાં તેમજ અન્ય અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે. લોકો પણ સાસણની જેમ પોરબંદર નજીક બરડા જંગલની સફારીનો આનંદ માણી શકે તથા પોરબંદર અને દ્વારકાના પ્રવાસનને વેગ મળે તેવા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: હજી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું, શું ‘દાના’ વાવાઝોડું ગુજરાતને અસર કરશે?
ધનતેરસના દિવસે સફારી કરવા શરૂ કરવાનું આયોજન
પોરબંદર (Porbanadar)ના બરડામાં સાસણ સફારીની જેમ બરડા જંગલ સફારી શરૂ થવા જઇ રહી છે. પોરબંદર વન વિભાગ દ્વારા દિવાળી પુર્વે ધનતેરસના દિવસે સફારી કરવા શરૂ કરવાનું આયોજન કરાયુ છે. મળતી જાણકારી મુજબ આગામી 29 ઓક્ટોબર ધનતેરસના શુભ દિવસે બરડા જંગલ સફારીનો વન અને પર્યટન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને બપોરે 2 કલાકે ઉદ્ગાટન સમારોહ યોજાશે. પોરબંદરથી બરડાની જંગલ સફારી પહોંચવા પોરબંદરથી માત્ર 35 કિમી દૂર છે. પોરબંદરથી રાણાવાવ ત્યાંથી ભાણવડ રોડ પર આવેલા કપુરડી નાકા સુધી પહોંચી શકાશે તેમજ સફારી શિયાળાની સીઝન સમયે સવારના 06:45 થી 09:45 અને બપોરના 03:00 થી 06:00 એમ કુલ બે ભાગમાં કરી શકાશે તથા પ્રવાસીઓ માટે ટિકિટ બુકીંગ કપુરડી નાકાથી ઓફલાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Morbi:વાગડીયા ઝાપા ગામે ફાયરિંગમાં એકનું મોત, 7 લોકો ઈજાગ્રસ્ત
જંગલ સફારી માટે જીપ્સીની ફી 2000/- રાખવામાં આવશે
આ ઉપરાંત સફારી ઉનાળાની સીઝન દરમિયાન સવારના 06:00 કલાક થી 09:00 કલાક અને બપોરનાં 03:00કલાક થી 06:00કલાક એમ કુલ બે ભાગમાં કરી શકાશે અને સફારી દર વર્ષે 16 જુનથી 15 ઓકટોબર સુધી બંધ રહે છે. પ્રવાસીઓ આ સફારી માટેની પરમીટ ફી રૂપિયા 400/, ગાઇડ ફી 400 અને જીપ્સીની ફી 2000/- રાખવામાં આવશે. જે પરમીટ ટિકિટ બુકીગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ થઇ શકશે.
અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર
આ પણ વાંચો: Dwarka:તાલુકા પંચાયતનો કરાર આધારીત મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયો