Gandhinagar: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 182 PSI ની કરાઈ બદલી, જાણો કોની ક્યાં કરાઈ બદલી
પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં વધુ 182 પીએસઆઈની બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા છે.
Advertisement
- રાજ્યમાં વધુ 182 PSI ની બદલીઓ
- પોલીસ વિભાગ દ્વારા PSI ની બદલીનાં ઓર્ડર કરાયા
- સોમવારે 33 PSI ને PI ના બઢતીનાં ઓર્ડર કરાયા હતા
પોલીસ વિભાગ દ્વારા ગત રોજ પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપ્યા બાદ આજે ગૃહ વિભાગ દ્વારા વધુ એક બઢતીનાં ઓર્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યનાં અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા 182 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના 13 પીએસઆઈની બદલી
રાજકોટ શહેર તેમજ ગ્રામ્યનાં 13 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે. જેમાં માવી માધવીબેન, ચૌધરી ભાવનાબેન, પટેલ રાજુભાઈ, ગઢવી હિરેન, પરમાર વિનોદકુમાર, સાંકળિયા રાઘવ, કારેણા સંગીતાબેન, રાઠોડ અમૃતભાઈ, સિન્ધી શૌકતુલ્લાખાન, ભટ્ટી ઈબ્રાહીમભાઈ, મહેશ્વરી સામજી, માજીરાણા મોહનભાઈ, વસાવા મહેશભાઈની બદલીનાં ઓર્ડર થયા છે.
Advertisement
Advertisement