ઈસુદાન ગઢવી હશે AAP નો મુખ્યમંત્રી પદનો ચહેરો, કેજરીવાલે કરી જાહેરાત
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. દિલ્હીના CMએ શુક્રવારે 'સર્વે'ના પરિણામની જાહેરાત કરતી વખતે આની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી ઉમેદવાર નહીં પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીની જાહેરાત કરી રહ્યા છીએ. AAPના નહીં પણ આપ ના CM હશે ઈસુદાન : CM કેજરીવાલઆમ આદમી પાર્ટી (AAP)ના સુ
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. દિલ્હીના CMએ શુક્રવારે 'સર્વે'ના પરિણામની જાહેરાત કરતી વખતે આની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી ઉમેદવાર નહીં પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીની જાહેરાત કરી રહ્યા છીએ.
AAPના નહીં પણ આપ ના CM હશે ઈસુદાન : CM કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. ઇસુદાન ગઢવી ભૂતપૂર્વ પત્રકાર છે અને તેમની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. AAP ના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું, અમે 5-7 દિવસ પહેલા ફોન નંબર અને ઈમેલ આપીને લોકોનો અભિપ્રાય પૂછ્યો હતો. 4 રીતે મેસેજ કરવાનું કહ્યું હતું. લોકોએ ભારે મતદાન કર્યું હતું. 16,48,500 જવાબો મળ્યા. 73% લોકોએ ઇસુદાન ગઢવીજીનું નામ લીધું. 10 જાન્યુઆરી 1982ના રોજ ગુજરાતના પીપળીયામાં જન્મેલા ઇસુદાન ગઢવી વ્યવસાયે પત્રકાર છે. ગઢવીની રાજકીય કારકિર્દી 14 જૂન 2021ના રોજ શરૂ થઈ હતી. તેઓ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અગાઉ પાર્ટીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવી અથવા ગોપાલ ઇટાલિયા AAPના મુખ્યમંત્રીનો સંભવિત ચહેરો બની શકે છે.
Advertisement
AAP પાર્ટીએ ઝુંબેશ તેજ કરી
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે તારીખોની જાહેરાત કરી હતી. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. પાર્ટી શનિવારથી રોડ શો કરવાનું શરૂ કરશે જેમાં કેજરીવાલ મુખ્યમંત્રી પદના ઉમેદવાર સાથે ચાલશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, AAP દરરોજ બેથી ત્રણ રોડ શો કરશે.
AAP ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહી છે
પાર્ટીએ જૂનમાં તેના ચૂંટણી પ્રચારની શરૂઆત અનેક ગેરંટીઓની જાહેરાત કરીને, મુલાકાતો હાથ ધરીને અને ઘરે-ઘરે જઈને પ્રચાર કરીને શરૂ કરી હતી. પાર્ટી ચર્ચા અને પ્રચારની બાબતમાં ભાજપ અને કોંગ્રેસને આકરી ટક્કર આપી રહી છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે 92 બેઠકોની જરૂર છે. ત્યારે જનતામાં વધી રહેલી AAPની લોકપ્રિયતા ભાજપ અને કોંગ્રેસને મોટી ટક્કર આપી શકે તેવી જનમુખે ચર્ચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા હેઠળ 1 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે જ્યારે હિમાચલ વિધાનસભાની સાથે 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.