Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓની બઢતી માટે નવી પોલીસી જાહેર

બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક સરકારી કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી સરકારી કર્મચારીઓના પ્રમોશન અટવાયા છે. તેથી ઝડપથી આ પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યોગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં  લેવાયો નિર્ણય ગાંધીનગરમàª
ગુજરાત સરકારની મોટી જાહેરાત  કર્મચારીઓની બઢતી માટે નવી પોલીસી જાહેર

બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક સરકારી કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી સરકારી કર્મચારીઓના પ્રમોશન અટવાયા છે. તેથી ઝડપથી આ પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો

Advertisement


ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં  લેવાયો નિર્ણય 
ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે, સરકારી નોકરીમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરી હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી આ મુદ્દે ઝડપથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રમોશન માટે એક પોલિસી બનાવવામાં આવશે. ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ કર્મચારીઓને બઢતી મળતી હોય છે. જે ખાતાકીય પરીક્ષાઓમાં મોડું થયું છે ત્યાં ઝડપથી પરીક્ષાઓ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભવિષ્યમાં પરીક્ષાઓમાં અનિયમિતતા ન આવે તે માટેની તકેદારી રાખવામા આવશે.

વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે

તો સાથે જ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે. માતૃભાષાના ગૌરવની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

પાંચ દિવસમાં બે થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે: મંત્રી ઋષિકેશ પટેલ

સાથે જ ગુજરાતમાં તાજેતરમાં તમામ ધર્મસ્થાનોનો વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. શક્તિપીઠોના દર્શન થઈ શકે માટે અંબાજી ખાતે ગુજરાતમાં 12  થી 15 તારીખ સુધી 2500  બસો પરિક્રમા અને દર્શન દર્શનાર્થીઓ ફાળવાઈ છે. પાંચ દિવસમાં બે થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે.

Advertisement



ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



Tags :
Advertisement

.