Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MORBI : વાંકાનેરમાં રામ રામ કરવા જતાં થઈ ગઈ ફાયરિંગ, સમગ્ર મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

મોરબી વાંકાનેરના કેરાળા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે, નવા વર્ષે રામ રામ કરવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. હુમલા બાદ વાંકાનેરના ગોપાલ લાખાભાઇ બાંભવા અને લાખા ગોરાભાઈ બાંભવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  ગામના જ રૈયાભાઈ છગનભાઈ બાંભવાએ ...
06:33 PM Nov 14, 2023 IST | Harsh Bhatt

મોરબી વાંકાનેરના કેરાળા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે, નવા વર્ષે રામ રામ કરવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. હુમલા બાદ વાંકાનેરના ગોપાલ લાખાભાઇ બાંભવા અને લાખા ગોરાભાઈ બાંભવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  ગામના જ રૈયાભાઈ છગનભાઈ બાંભવાએ  પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટના એમ છે કે ફરિયાદી રૈયાભાઈ અને તેનો પુત્ર સવારે નવા વર્ષે દર્શન કરવા જતા હતા તે સમય દરમિયાન જ  બંને આરોપીઓ સામે આરોપીઓએ ઉશ્કેરાઈ અને હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી રૈયાંભાઈ પર ફાયરિંગ કરતાં ડાબા પડખામાં ઈજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

વાંકાનેર પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ IPC કલમ ૩૦૭,૩૦૪, સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો -- આણંદ: વિદ્યાનગરમાં અસામાજિક તત્વોનો આતંક

 

Tags :
AhmedabadcomplaintFiringpoliceVankaner
Next Article