બાપુનગરમાં અસામાજીક તત્વો બેફામ, ભાજપ કોર્પોરેટરના પતિ અને દિયર પર કર્યો હુમલો
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજીક તત્વો ખૂબ જ બેફામ બન્યા છે. અસામાજીક તત્વોની ગુંડાગીરી હવે એ સ્તરે પહોંચી ગઇ છે કે, તેઓ કોર્પોરેટરના પરિવારને પણ નથી છોડી રહ્યા. મળી રહેલી માહિતી અનુસાર, બાપુનગર બોર્ડમાં ભાજપના કોર્પોરેટર સરોજબેન સોલંકીના પતિ અને તેમના દિયર પર અસામાજીક તત્વોએ તલવાર વડે હુમલો કરી ખુલ્લેઆમ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો.
અસામાજીક તત્વોના હુમલામાં પ્રભુદાસ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રબુદાસના આંગળીઓમાં અને પગમાં તેમજ ઘૂંટણના ભાગે ગંભીર ઈજીઓ થઇ હતી. ઈજાગ્રસ્ત પ્રભુદાસને સારવાર અર્થે અસારવા સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને તબીબો દ્વારા ઈજાગ્રસ્ત પ્રભુદાસ સોલંકીની સારવાર કરવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો, ઘટનાની જાણ થતા જ બાપુનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પ્રભુદાસ સોલંકીના ભાઈ શંકર સોલંકી દ્વારા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, બાપુનગર પોલીસે આ મામલે ઈજીગ્રસ્ત અને આસપાસના લોકોના નિવેદન નોંધીને બાપુનગરમાં આતંક મચાવનારા આ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર, બાપુનગર પોલીસે 8 શખ્સોની અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અને હવે અમદાવાદ મહાનગરની અંદર અસામાજીક તત્વોનો આતંક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.
આ પણ વાંચો - સિડનીના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં PM મોદી : ભારત મધર ઓફ ડેમોક્રેસી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ