Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Assembly-વ્યાજખોરો સામે સરકારની લાલ આંખ

Gujarat Assemblyમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી : વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે. ....... • રાજ્યમાં એક પણ વ્યક્તિનો ભોગ વ્યાજનું આ દુષણ ન લે તેવી પરિસ્થિતિનું નિર્માણ...
gujarat assembly વ્યાજખોરો સામે સરકારની લાલ આંખ
  • Gujarat Assemblyમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી : વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.
    .......
    • રાજ્યમાં એક પણ વ્યક્તિનો ભોગ વ્યાજનું આ દુષણ ન લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા
  • તા.૩૧મી જુલાઇ ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે માસમાં વ્યાજખોરોની વિરૂધ્ધમાં ૫૬૫ વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી

       .......

Advertisement

Gujarat Assembly માં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા Minister of State for Home Affairs શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે.

વ્યાજખોરો (usurer)ની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સુચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક – બે મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે.

Advertisement

માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં એક માત્ર આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (૨) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (૩) પી.એમ.સ્વનિધિ યોજના (૪) કિસાન સાથી યોજના (૫) પર્સલન લોન યોજના (૬) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (૭) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (૮) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (૯) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (૧૦) માનવ કલ્યાણ યોજના (૧૧) ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે.

ફકત વર્ષ-૨૦૨૩માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.

Advertisement

સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે.

વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે.

તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ-૧૬૪૮ લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો- Gujarat: કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો, કેન્દ્રના નેતાઓની ગેરહાજરી

Tags :
Advertisement

.