Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8 યુવાનોના મોત,અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

વાસણા સોગઠીમાં 8 યુવાનોના નદીમાં ડૂબી જતા થયા મોત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા Gandhinagar: ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું...
gandhinagar  વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8  યુવાનોના મોત અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ
Advertisement
  1. વાસણા સોગઠીમાં 8 યુવાનોના નદીમાં ડૂબી જતા થયા મોત
  2. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ
  3. સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા

Gandhinagar: ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તેમાંથી 8 યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહીં છે. તમામ મૃતકોની આત્માને શાંતિ મળે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું કે, ‘...8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું...’

Advertisement

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

Advertisement

તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાયએ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો હતો. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

આ પણ વાંચો: અસલી ગુજરાતમાં નકલીનો વેપલો! નકલી ઘી, દવા અને પનીર બાદ હવે તમાકુ પણ નકલી!

8 યુવાનોના મોતને લઈને અત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 8 યુવાનોની લાશ મળી આવ્યું છે. 8 યુવાનોના મોતને લઈને અત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. દહેગામ સાથે સાથે ઉત્તર ગુજરાતના પાટણમાં પણ ગણેશ વિસર્જનમાં ગયેલા એક જ પરિવારના 4 લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી, 5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pune : ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 30 લોકોના ડૂબી જવાની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા

featured-img
Top News

Mathura News : મથુરામાં મોટી દુર્ઘટના, 6 ઘર ધરાશાયી, 12 લોકો દટાયા, બચાવ કામગીરી શરૂ

featured-img
રાષ્ટ્રીય

Manali Video : હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટક સાથે દુર્ઘટના, 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બાળકી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભનું નિવેદન, જાણો શું કહ્યું ?

featured-img
Top News

'વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર' : સર્બાનંદ સોનોવાલ

featured-img
ટેક & ઓટો

Elon Musk કંઈક એવું બતાવવા માંગે છે જેનું અસ્તિત્વ જ નથી! વાંદરાઓ પર ટ્રાયલ થઇ હવે માણસોનો વારો

Trending News

.

×