Bharuch: હેવાનિયતે હદ વટાવી! નરાધમીએ માત્ર 10 મહિનાની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
- પાનોલીના એક ગામમાં પરપ્રાંતીય યુવક બન્યો હેવાન
- બાળકીને રમાડવાના બહાને લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકીની હાલત લથળી
- પોલીસે નરાધમી આરોપીની ધરકપડ કરીને કાર્યવાહી હાથ ધરી
Bharuch: ભરૂચ જીલ્લામાં બળાત્કારના કિસ્સાઓમાં ઘરખમ વધારો નોંધાયો છે. હવે તો માસુમ બાળકીઓ સુરક્ષિત નથી તેવો કિસ્સો પાનોલી પંથકના એક ગામ માંથી સામે આવ્યો જેમાં ઘર આંગણે રમતી બાળકીને પરપ્રાંતીય નરાધમ સાંઢે દુષ્કર્મ કરતા બાળકી રડતા લોકો દોડી આવ્યા હતા. બાળકીને બચાવી બેભાન અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીને સારવાર અપાવવા સાથે નરાધમની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ
બાળકીને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી
બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બનનારની માતા બાળકીને લઈ નજીકના રોસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય 27 વર્ષીય દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને ધણી વખત રમાડતો અને રમાડવા લઈ પણ જતો હતો. ગઈકાલે સાંજના સમયે ભોગ બનનારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી. તે દરમિયાન નરાધમ દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઇ ગયો હતો. તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી. બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકી ભાગી ગયો હતો.
આ પણ વાંચો: Iron Dome : ઇઝરાયેલનું આ ઘાતક શસ્ત્ર, જેણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટો તોડી પાડ્યા..Video
પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ થયું હોય તેવું સામે આવ્યું
બાળકીને માતાએ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા હોય અને તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌ પ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બાળકી ઉપર દુષ્કર્મ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા પાનોલી પોલીસ મથકના પી.આઈ શિલ્પા દેસાઈએ ભોગ બનનારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં સારવાર અપાવવા સાથે ભોગ બનનારની માતાની ફરિયાદ લઇ નરાધમી સામે દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી બાળકી અને નરાધમનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું Japan, સુનામીનો વધ્યો ખતરો
શું બાળકોને કોઈ બાજી સાથે એકલા મુકવા જોઈએ?
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, બાળકીઓ પણ રમાડવા આપવી જોખમ કારક સાબિત થઈ રહ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નરાધમે ધણી વખત રમાડવા અને ચોકલેટ આપવાના બહાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકીને રમાડતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે. આખરે બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતા હવે બાળકીઓને રમાડવા આપવા જોખમ કારક સાબિત થઈ રહ્યું છે.