ભાણવડ - ખંભાળિયા હાઈવે પર ગંભીર અકસ્માત, 3 ના ઘટનાસ્થળે જ મોત 8 લોકો ઇજાગ્રસ્ત
ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામ જઈ રહેલો છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમા ત્રણ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે...
02:01 PM May 06, 2023 IST
|
Dhruv Parmar
ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામ જઈ રહેલો છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમા ત્રણ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોને ખંભાળીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ઇન્ચાર્જ એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં કોવિડ હોસ્પિટલને આજથી તાળા, 2020માં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી
Next Article