Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મહેસૂલ વિભાગના 157 ના. મામલતદારની બદલી, 261 ASI ને બઢતી, જુઓ સંપૂર્ણ યાદી

રાજ્ય સરકાર દ્વારા આજે નાયબ હિસાબનીશ, નાયબ મામલદાર, મહેસૂલી કારકૂન વર્ગ-3 તેમજ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન સહિતનાં ઓર્ડર કરવામાં આવ્યા છે.
gandhinagar   મહેસૂલ વિભાગના 157 ના  મામલતદારની બદલી  261 asi ને બઢતી  જુઓ સંપૂર્ણ યાદી
Advertisement
  • ગુજરાત પોલીસવિભાગને લઇને સૌથી મોટા સમાચાર
  • પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 261 ASIને અપાઇ બઢતી
  • 261 ASIને PSI તરીકે આપવામાં આવી બઢતી

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ ૨૬૧ એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

Advertisement

વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઈને પી.આઈ, ૩૯૭ એ.એસ.આઈને પી.એસ.આઈ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં આજે તા. ૦૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ વધુ ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે.

Advertisement

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ ૨૦૨૪ની આ સિદ્ધિ અને વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

ના. હિસાબનીશ, પેટા તિજોરી અધિકારી, નાયબ ઓડીટરની પણ બદલી

ગાંધીનગર હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા નાયબ હિસાબનીશ, પેટા તિજોરી અધિકારી, નાયબ ઓડીટર ગ્રુપ-2 નાં 136 કર્મચારીઓને હિસાબનીશ, પેટા તિજોરી અધિકાર તેમજ ઓડીટર સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વેસ્ટન રેલવે દ્વારા ઉનાળા વેકેશનને ધ્યાને રાખી ખાસ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમયપત્ર...

ના. મામલદારની પણ બદલી
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના 157 કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે. તેમજ અન્ય જીલ્લા ખાતે નાયબ મામલતદાર તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચોઃ junagadh: ચણા અને રાયડાનાં વેચાણને લઈ કલેક્ટરની પ્રતિક્રિયા, ખેડૂતોને વાંધો હોય તો કરી શકશે રજૂઆત

મહેસૂલી કારકૂનની પણ

મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં કલેક્ટર કચેરી હસ્તકનાં મહેસૂલી મહેકમમાં ફરજ બજાવતા મહેસૂલી કારકુન વર્ગ-3 નાં 57 જેટલા કર્મચારીઓ જેમાં પુરૂષ કર્મચારીનાં કિસ્સામાં 2 વર્ષ અને મહિલા કર્મચારીએ એક વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે. જે સંદર્ભે પતિ-પત્નીના કિસ્સામાં સ્વ વિનંતીથી તેમજ જીલ્લા કક્ષાએ ફેરબદલીનાં કિસ્સામાં પ્રવરતા નક્કી કરવા બાબતની સુચનાઓ ધ્યાને લઈ મહેસૂલી કારકૂનોની વર્ગ-3 ની જીલ્લા ફેરબદલી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Banaskantha : ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો નવો ખુલાસો, આરોપીની 2017 માં રાજકીય પક્ષે કરી હતી હકાલપટ્ટી

Tags :
Advertisement

.

×