AMBAJI : અંબાજી મંદિરમાં આરોગ્ય મંત્રીએ પોતાના ભાઈ અને પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા
અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમા દિવાળી પર્વને લઈને અંબાજી મંદિરને રોશની થી...
અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમા દિવાળી પર્વને લઈને અંબાજી મંદિરને રોશની થી શણગારાયું છે, ત્યારે અંબાજી મંદિરમાં આજે બપોરે દિવાળીના દિવસે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી બાવા દ્વારા તેમનું સ્વાગત કરાયું હતુ. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું. સિદ્ધિવિનાયક મંદિરના પણ તેમણે દર્શન કર્યા હતા. માતાજીની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
બંને ભાઈઓએ પરિવાર સાથે દર્શન કર્યા
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે આજે માતાજીના દર્શન કરવા આવ્યા હતા પણ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે તેમના સગા મોટાભાઈ અંબાજી ખાતે રહે છે અને અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. ઋષિકેશભાઇનો પરિવાર અને તેમના મોટાભાઈ જીતુભાઈ પટેલનો પરિવાર અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે દર્શન કરવા આવ્યા હતા.
આ પણ વાંચો -- અલૌકિક છે જુનાગઢનું એકમાત્ર પૌરાણિક મહાલક્ષ્મી મંદિર, દિવાળીના દિવસે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર
Advertisement