Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો : SP સ્વામી

તેમણે કહ્યું કે, શિક્ષાપત્રીમાં (Shikshapatri) ભૂલ કોઈ કાઢી શક્યો નથી. ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે.
ahmedabad   બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો   sp સ્વામી
Advertisement
  1. સ્વામિનારાયણ સંતોના શિક્ષાપત્રી મુદ્દે S.P. Swami ની સ્પષ્ટતા
  2. શિક્ષાપત્રીમાં કોઈ જગ્યાએ આજ્ઞા આપી નથી : એસ.પી. સ્વામી
  3. શિક્ષાપત્રીમાં ભૂલ કોઈ કાઢી શક્યો નથી : SP સ્વામી
  4. ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે : SP સ્વામી
  5. બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો : SP સ્વામી

Ahmedabad : સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા અને પુસ્તકોમાં હિન્દુ દેવી-દેવતાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી થતાં વિવાદ સર્જાયો છે. દરમિયાન, સંપ્રદાયમાં શિક્ષાપત્રી અંગે એસ.પી. સ્વામીએ (S.P. Swami) સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષાપત્રીમાં કોઈ જગ્યાએ આજ્ઞા આપી નથી. શિક્ષાપત્રીમાં (Shikshapatri) ભૂલ કોઈ કાઢી શક્યો નથી. ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે. રાગ દ્વેષથી પોતાની લીટી મોટી કરવાનાં પ્રયાસ કરે ત્યારે વિવાદ થાય છે.

આ પણ વાંચો - Kutch : સ્વામીનાં બફાટ સામે સાધુ સંતોનો વિરોધ, આવતીકાલથી મોગલધામના મહંત અનશન કરશે

Advertisement

ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે : એસ.પી. સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં (Swaminarayan Sect) શિક્ષાપત્રી મુદ્દે એસ.પી. સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, શિક્ષાપત્રીમાં કોઈ જગ્યાએ આજ્ઞા આપવામાં આવી નથી. શિક્ષાપત્રીમાં ભૂલ કોઈ કાઢી શક્યો નથી. એસ.પી. સ્વામીએ આગળ કહ્યું કે, ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને શિક્ષાપત્રી લખી છે. સ્વામિનારાયણ સંતો ગુરુ મંત્રની મહિમા સમજ્યા હોય તો તમે બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો. વડતાલમાં (Vadtal) સ્વામિનારાયણની ગાદી નહીં લક્ષ્મીનારાયણ દેવ કહેવાય છે. આચાર્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ કહેવાય છે.

Advertisement

આ પણ વાંચો - Sanatana Dharma: મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે ? જાણો કોને શું કહ્યું બાપુએ...

'ઈષ્ટ માનો પણ કોઈને દુ:ખ ન પહોંચાડવું જોઈએ'

એસ.પી. સ્વામીએ (S.P. Swami) સલાહ આપતા આગળ કહ્યું કે, ભગવાનની આજ્ઞામાં જ જીવવાની મજા છે. વાક્ય બોલનારાએ જ જીવનમાં વિચારવાની જરુર છે. ઈષ્ટ માનો પણ કોઈને દુ:ખ ન પહોંચાડવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણના બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે, રાગ દ્વેષથી પોતાની લીટી મોટી કરવાના પ્રયાસ કરે છે ત્યારે વિવાદ થાય છે.

આ પણ વાંચો - Banaskantha: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે SIT ની રચના કરાઈ,CM એ કરી સહાયની જાહેરાત

Tags :
Advertisement

.

×