Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવણી વિશાળ શોભાયાત્રા નિકળી

ગોંડલ શહેરમાં હનુમાન જયંતિનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયશ્રી રામ ના જયઘોષ થી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.
gondal  હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવણી વિશાળ શોભાયાત્રા નિકળી
Advertisement
  • ગોંડલ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
  • હનુમાન જયંતિ વિશાળ શોભાયાત્રા નિકળી
  • શોભાયાત્રામાં સંતો મહંતો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

ગોંડલ શહેરમાં આજરોજ હનુમાન જયંતિના તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સતત 16 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિતે વિરાટ શોભાયાત્રાનું દાસીજીવણ પાર્ટી પ્લોટ પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. જયશ્રી રામ ના જયઘોષ થી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી

આજરોજ હનુમાન જયંતિ નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાનું સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ઠંડા પીણા, આઈસ્ક્રીમ ના ફ્લોટ્સ ઉભા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં જય શ્રી રામ ના જયઘોષ સાથે ડી.જે ના તાલે 500 થી વધુ બાઈક તેમજ 50 થી વધુ ગાડી સાથે 1500 થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. ઠેર ઠેર શોભાયાત્રાનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના દાસીજીવણ પાર્ટી પ્લોટ પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, વિક્રમસિંહજી રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, કડીયા લાઇન, ડો. આંબેડકર ચોકથી તરકોશી હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. જ્યાં બપોરે 12 વાગ્યે મહા આરતી અને સમૂહ મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રા ના રૂટ પર ભગવા રંગની ધજા, ઝંડી, બેનર, મંડપ કમાન થી શુશોભીત કરવામાં આવ્યા હતા. વિક્રમસિંહજી રોડ ભગવા રંગે રંગાયું હતું.

Advertisement

શોભાયાત્રામાં આગેવાનો તેમજ સંતો મહંતો જોડાયા

ગોંડલ શહેરમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નગર પાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, વડવાળી જગ્યાના મહંત સીતારામબાપુ, મામદેવ મંદિર ભોજરાજપરા મહંત ચંદુબાપુ, તરકોશી હનુમાનજી મંદિરના મહંત રાજુબાપુ, રમેશાનંદગીરી બાપુ ખેતરવાળા મેલડી માતાજી મંદિર સહિત વિવિધ સંસ્થાના આગેવાનો, સંગઠનો સહિતના લોકો ઉપસ્થિત રહી અને શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ તારકોશી હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાનજી મહારાજ ની મહાઆરતીમાં યુવા અગ્રણી અને નાગરિક બેંકના વા. ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, ચંદુભાઈ ડાભી, સમીરભાઈ કોટડીયા, ઓમદેવસિંહ જાડેજા, પિન્ટુભાઈ ચુડાસમા મહાઆરતીમાં જોડાઈ અને આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Vadodra: ડભોઈ ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

આ પ્રસંગે ને સફળ બનાવવા માટે બજરંગ દળ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ ડાભી નેજા હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રા દરમ્યાન સીટી પોલીસ સ્ટેશન એ અને બી ડિવિઝન પી.આઈ, 3 પી.એસ. આઈ તેમજ 70 પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી- ગોંડલ

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×