જૂનાગઢમાં બેરિંગની દુકાનમાં મોડી રાત્રે લાગી આગ
જુનાગઢમાંથી હાલ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જૂનાગઢના બેરિંગની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જુનાગઢના સર્કલ ચોક ભંગાર બજારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે આ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
સર્કલ ચોક ભંગાર બજારમાં આવેલ બેરિંગની દુકાનમાં આ આગ લાગવાની ઘટનામાં દુકાનમાં રહેલ લાકડાની વસ્તુ બળીને ખાખ થઈ હતી. પરંતુ મુખ્ય વાત એ છે કે, આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ તપાસ કરતા સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું કે, આ આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
બેરિંગની દુકાનમાં એકાએક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતાં તરત જ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો તેણે ચાલુ કર્યા હતા. ત્યાર ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો -- Surat Nuclear power plant: પ્રધાનમંત્રીએ કાકરાપારાથી દેશવાસીઓને 2 વીજ પ્લાન્ટ કર્યા અર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.