108 Emergency Service: માર્ચ 2025 સુધી અટેન્ડ કર્યા 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ, અણમોલ જીવ બચાવવા અડીખમ
- 108 Emergency Serviceને માર્ચ 2025 સુધીમાં મળ્યા છે 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ
- 21 લાખથી વધુ રોડ એક્સિડન્ટ્સમાં પૂરી પાડી છે
- 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી સારવાર પૂરી પાડી છે
108 Emergency Service: ગુજરાતમાં સતત અણમોલ માનવજીવોને બચાવવાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે 108 Emergency Service. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી 108 Emergency Service આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ સર્વિસ સાબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM BHupendra Patel)ના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Hrishikesh Patel)ના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઈમરજન્સી સર્વિસીઝ 24X7 વિનામૂલ્યે સેવાઓ આપી રહી છે.
માર્ચ 2025 સુધીમાં મળ્યા છે 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે 108 ઈમરજન્સી સર્વિસ શરૂ થઈ ત્યારથી માર્ચ-2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.75 કરોડથી વધુ ઈમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક ઈમરજન્સી મેડિકલ સર્વિસીઝ પૂરી પાડી છે. આ ઉપરાંત 108 દ્વારા 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 16.69 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં 93,450 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 56,715 એમ કુલ 1.50 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવી છે.
આ પણ વાંચોઃ VADODARA : ભર ઉનાળે ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું
વિવિધ મેડિકલ ઈમરજન્સી સર્વિસીઝ
ગુજરાતમાં 108 Emergency Service ઉપરાંત ખિલખિલાટ(Khilkhilat), 181 મહિલા હેલ્પલાઈન, 104 હેલ્થ હેલ્પલાઈન(Heaalth Helpline) કાર્યરત છે. સપ્ટેમ્બર 2012થી કાર્યરત કુલ 434 ખિલખિલાટ વાનનો 1.23 કરોડ લાભાર્થી માતાઓએ લાભ લીધો છે. તે જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઈન અંતર્ગત 15.84 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 3.17 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઈન દ્વારા વર્ષ 2024 સુધીમાં કુલ 51.26 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ 2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 753 જેટલા નાગરિકોને ઈમરજન્સી સર્વિસીઝ પૂરી પાડવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 108ની 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત છે.
રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઈમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ છે. pic.twitter.com/DOjdpAO1x2
— Rushikesh Patel (@irushikeshpatel) April 19, 2025
112 ઈમરજન્સી સર્વિસીઝ
ગુજરાતના 7 જિલ્લાઓમાં વર્ષ 2019થી કાર્યરત 112 ઈમરજન્સી સર્વિસીઝ અંતર્ગત 1.48 કરોડથી વધુ ઈમરજન્સી કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઈમરજન્સી સંબંધિત કોલનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતા પશુ દવાખાનાની કુલ 586 વાન કાર્યરત છે. જેમાં કુલ 79 લાખથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ VADODARA : માધવ કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાંથી 5 બાળ શ્રમિકો મુક્ત કરાવાયા