RAJKOT: શહેરમાં નિયમ નેવે મૂકી બાંધકામો સામે મનપા કમિશ્નર અડગ, કહયું - નિયમાનુસાર હશે તો જ..
RAJKOT: RAJKOT ના અગ્નિકાંડની ઘટના બન્યા બાદ જાણે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતીના અનુસાર હવે RAJKOT શહેરમાં નિયમ નેવે મૂકીને ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા કમિશનર અડગ બન્યા છે. મનપા કમિશનર અને કોર્પોરેટર વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનરએ ગેરકાયદેસર બાંધકામ સામે હુંકાર ભરી હતી.મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, નિયમ અનુસાર હશે તો જ સીલ ખોલવામાં આવશે.ઉલ્લેખનીય છે કે - સગાઠીયા અને કોર્પોરેટર મીલી ભગતમાં આડેધડ બાંધકામો મંજૂરી અપાઈ હતી. જેના બાદ હવે કોર્પોરેટર મેદાને આવ્યા છે.
મેડિકલ સ્ટોરમાં ચાલતી ગેરરિતી સામે ડ્રગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી
બીજી તરફ ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. RAJKOT માં મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ ચાલી રહી હોવાની વાત સામે આવી છે.રાજકોટમાં મેડિકલ સ્ટોરમાં ચાલતી ગેરરીતી સામે ડ્રગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટમાં કુલ 54 જેટલા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બાધા જ 54 મેડિકલ સ્ટોરના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
54 જેટલા મેડિકલ સ્ટોરના લાઇસન્સ રદ કરાયા
રાજકોટમાં મેડિકલ સ્ટોરમાં ચાલતી ગેરરીતિની બાબત લોકોના સામે આવતા સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની છે.મળતી માહિતીના અનુસાર, 54 જેટલા મેડિકલ સ્ટોર સામે ડ્રગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે, તમામ 54 જેટલા મેડિકલ સ્ટોરના લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે.ઉપરાંત 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતના અનુસાર, કાર્યવાહી કરવામાં આવેલા આ મેડિકલ સ્ટોરમાં શહેરના કેટલાક નામાંકિત મેડિકલ શોપનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : VADODARA : પાણીની સમસ્યા દુર થાય તેવી “સાહેબે” લાગણી વ્યક્ત કરી – ડો. વિજય શાહ