Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ સુરત આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમિત શાહ સંસદીય વિસ્તારના વિવિધ...
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે  સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ સુરત આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમિત શાહ સંસદીય વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવશે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન નેશનલ કો.ઓ. ડેરીના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરશે. ઉપરાંત, ઇ-માર્કેટ એવોર્ડ કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી ભાગ લેશે. આ સાથે અમિત શાહ ગાંધીનગરના NFSU ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની બિલ્ડિંગનું પણ ઇ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) પણ હાજર રહેશે. ઉપરાંત, ધારાસભ્યો તેમ જ સહકારી ક્ષેત્રના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. ડિસ્ટ્રીક્ટ બેંક સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો તેમ જ મંડળી સભ્યો પણ હાજરી આપશે.

આવતીકાલે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સુરતમાં

Advertisement

30 ડિસેમ્બરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ (Rajnath Singh) પણ સુરતની મુલાકાતે આવવાના છે. દરમિયાન તેઓ 'શહીદોને સલામ' 5મા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સુરતના (Surat) વરાછા ખાતે આવતીકાલે સાંજે 7 વાગે આ કાર્યક્રમ યોજાશે. માહિતી અનુસાર, આ કાર્યક્રમનું આયોજન સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ રાતે જ સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો - UAE માં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકારતા PM મોદી

Advertisement

Tags :
Advertisement

.