Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકોટનાં (Rajkot) ખીરસરામાં પીડિતા પર સ્વામી દ્વારા દુષ્કર્મ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દુષ્કર્મ પીડિતાએ મીડિયા સામે આવીને સ્વામિનારાયણ ગુરુકુળનાં ધરમ સ્વરૂપદાસ સ્વામી (Dharam Swarupadas Swami) અને નારાયણ સ્વામી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવી આપવીતિ જણાવી છે. સાથે જ...
05:28 PM Jun 24, 2024 IST | Vipul Sen

રાજકોટનાં (Rajkot) ખીરસરામાં પીડિતા પર સ્વામી દ્વારા દુષ્કર્મ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દુષ્કર્મ પીડિતાએ મીડિયા સામે આવીને સ્વામિનારાયણ ગુરુકુળનાં ધરમ સ્વરૂપદાસ સ્વામી (Dharam Swarupadas Swami) અને નારાયણ સ્વામી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવી આપવીતિ જણાવી છે. સાથે જ પીડિત યુવતીએ આવા કલંકિત સ્વામીઓને ફાંસીએ ચડાવી દેવા જોઈએ તેવી માગ કરી છે.

સ્વામીએ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી વાતચીત કરી

સ્વામિનારાયણ સંપ્રદાયની છબીને ખરડે એવી એક પછી એક ઘટના સામે આવી રહી છે. તેમાંની એક ઘટનામાં થોડા દિવસ પહેલા રાજકોટનાં (Rajkot) ભાયાવદરના ખીરસરામાં (Khirsara) આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પર દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે હવે પીડિત યુવતીએ (rape victim) મીડિયા સામે આવી પોતાની આપવીતિ વર્ણવી છે જે ખૂબ જ હચમચાવે એવી છે. પીડિત યુવતીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ધરમ સ્વરૂપદાસ સ્વામીએ મને સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી હતી. અમારા કેટલાક સગાં એ જ ગુરુકુળમાં ભણતા હોવાથી અને સ્વામીને ઓળખતા હોવાથી મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યાર બાદ સ્વામીએ મારી સાથે વાત કરી મારા વિશે બધુ જાણી લીધું હતું. મને એમ હતું કે મને સ્વામીથી યોગ્ય માર્ગદર્શન મળશે એટલે મેં ભોળા ભાવે બધું કહી દીધું.

એક રૂમમાં સ્વામીએ મારી સાથે લગ્ન કર્યાં

પીડિત યુવતીએ આગળ કહ્યું કે, સ્વામીનો ઉદ્દેશ્ય પહેલેથી જ મને શારીરિક રીતે ઉપયોગ કરવાનો હતો. એટલે મને ભોળવી અને ગેરફાયદો ઉઠાવ્યો. સ્વામીએ ખોટી રીતે લગ્નની વાત કરી મને ફસાવી હતી. સ્વામીએ મને કહ્યું હતું કે, તમે જેવું વિચારો છો એ પ્રમાણે સાચો માણસ મળે નહિ. તમે જે રીતે જીવન જીવવા માટે વિચારો છો તમારું અને મારું મન સરખાં છે. આવી વાતો કરી મને ફસાવી હતી અને પહેલીવાર જ્યારે મળવા ગઈ ત્યારે એક રૂમમાં સ્વામિનારાયણ ભગવાનનાં સાનિધ્યમાં સ્વામીએ (Dharam Swarupadas Swami) મારી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા. પીડિતાએ કહ્યું કે, ગર્ભ રહ્યું ત્યારે સ્વામીએ એવું કહ્યું કે આ વાત બહાર આવશે તો તને અને મને લોકો બદનામ કરશે. ધરમ સ્વરૂપદાસ સ્વામીએ એમ પણ કહ્યું હતું કે, નારાયણ સ્વામીને (Narayana Swami) અમારા સબંધ વિશે ખ્યાલ હતો. મયુરભાઈને સ્વામીએ કહ્યું મને સમજાવે કઈ રીતે દવા લઈ ગર્ભપાત કરવું.

'આ લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ'

પીડિત યુવતીએ મીડિયાને જણાવ્યું કે, આ પહેલા પણ આવું બની ગયું છે. મારા સિવાય બીજી છોકરીઓને ખરાબ નજરથી સ્વામી જોતા હતા. પીડિતાએ રાજ્ય સરકાર પાસે મદદ કરવા માગ કરી છે. પીડિત યુવતીએ (rape victim) આરોપ લગાવતા કહ્યું કે, તેણી પર દબાણ કરી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સાથે પીડિત યુવતીએ માગ કરી કે આ લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ. મને એવી શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે એટલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં (Women's Police Station) ફરિયાદ નોંધાવીશ.

આ પણ વાંચો - “મને કંઇ પણ થશે તો રાજેશ ચુડાસમા”… જાણો કોણે કહ્યું

આ પણ વાંચો - Junagadh: કલંકિત સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ, હરિભક્તો આવ્યા મેદાનમાં

આ પણ વાંચો - Ahmedabad: બેંકના લોકર પણ સુરક્ષિત નથી, મહિલાના 34.18 લાખના દાગીના સહિત રોકડની ચોરી

Tags :
BhayavadarDharam Swarupadas SwamiGujarat FirstGujarati NewKhirsaraNarayan SwamiNarayana SwamiRAJKOTRajkot Women's Police Stationrape caserape victimSwaminarayan Gurukul
Next Article