Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Patan : સમીનાં શંખેશ્વર માર્ગ પર કાર-આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, 3 ના મોત

રક્ષાબંધનના  દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે  ત્યારે  પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને આઇસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતક યુવાનો રાધનપુરના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત રાતના સમયે સર્જાયો હોવાનું...
12:21 PM Aug 30, 2023 IST | Hiren Dave

રક્ષાબંધનના  દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે  ત્યારે  પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને આઇસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતક યુવાનો રાધનપુરના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત રાતના સમયે સર્જાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કાર આઇસર પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાર ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

 

સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યાં છે.અકસ્માતને પગલે સમી પોલીસે તપાસ હાથ ધરી છે. આજે તહેવાર પર એક જ દિવસમાં ત્રણ અકસ્માતના સમાચાર મળ્યા હતા. નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં અકસ્માત થયો હતો. નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આયુર્વેદિક હોસ્પિટલ સામે ફુલ નશાની હાલતમાં બેફામ કાર હંકારતા સર્જાયો અકસ્માત છે.

તો અમદાવાદમાં અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હતુ.મકરબા વિસ્તારમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત થયુ હતુ .આઇશર ટ્રકે એક્ટિવાને મારી હતી ટક્કર મહિલા એક્ટિવા પરથી નીચે પટકાઇ હતી. ટ્રકનું ટાયર મહિલાના માથા પર ફરી વળતા મોત નીપજ્યુ હતુ. ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યા  હતા
આ પણ વાંચો-AHMEDABAD : લાંચ અને ખંડણીના કેસમાં હવેથી શહેર પોલીસ ડિકોય ટ્રેપનું આયોજન કરશે
Tags :
an accidentPatanSami-Shankeshwar HighwayThree deaths
Next Article