Mehsana : શહેરમાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 35 લોકોને ભર્યા બચકાં
- મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો આતંક
- એક જ દિવસમાં 35 લોકોને શ્વાને ભર્યા બચકાં
- ચાલુ મહિને જ શ્વાન કરડવાના 480 કેસ
- નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ
- ખસીકરણની પ્રક્રિયા શરૂ કરવાની માગ ઉઠી
સમગ્ર રાજ્યમાં શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, હાલમાં મળતી અનુસાર મહેસાણામાં શ્વાનનો ભયાનક આતંક સામે આવ્યો છે, અહીં એક જ દિવસમાં 35થી વધુ લોકોને શ્વાને બચકાં ભરતાં શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં છેલ્લા એક મહિનાથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. તાજા માહિતી પ્રમાણે, મહેસાણા શહેરમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે,ત્યારે ચાલુ મહિનામા 480 કેસ સામે આવ્યા છે. શહેરમાં અત્યારે વધી રહેલા શ્વાનના આતંકથી લોકો ડરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરી એ તો નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ નોંધાયા હતા .પાલીકાને કૂતરા પકડી ખસીકરણ ની પ્રક્રિયા સત્વરે શરૂ કરે તેવી સ્માંથાનિકોએ માંગ કરી છે.
આ પણ વાંચો-પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો ઘટસ્ફોટ