Jignesh Mevani: જીજ્ઞેશ મેવાણી પરથી 2017 ના આરોપો દૂર કરવામાં આવ્યા
Jignesh Mevani: ગુજરાતની મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને અન્ય 30 વ્યક્તિઓને 2017 માં થયેલ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. 2017 માં તેમના પર રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં એક ટ્રેનને અવરોધિત કરવાનો આરોપ હતો.
- જીજ્ઞેશ મેવાણી પરથી 2017 ના આરોપો દૂર કરવામાં આવ્યા
- તે સહિત તેમના 30 સાથીદારોને પણ મૂક્ત કરાયા
- આ 31 આરોપીઓમાંથી 30 મહિલા આરોપી હતી
જીજ્ઞેશ મેવાણી પરથી 2017 ના આરોપો દૂર કરવામાં આવ્યા
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની કોર્ટે કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણી નિર્દોષ જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસે 2017 માં રેલ્વેને રોકવાના વિરોધના ભાગ રૂપે કાલુપુર રેલ્વે સ્ટેશન પર રાજધાની ટ્રેનને 20 મિનિટ માટે અવરોધિત કરવા બદલ મેવાણી અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ 31 આરોપીઓમાંથી 30 મહિલા આરોપી હતી
જીજ્ઞેશ મેવાણી અને અન્ય 30 વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 31 આરોપીઓમાંથી 30 મહિલાઓ હતી. તેમની સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તે સહિત તેમના 30 સાથીદારોને પણ મૂક્ત કરાયા
વર્ષ 2021 માં સેશન્સ કોર્ટે જીજ્ઞેશ મેવાણી નિર્દોષ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં મેવાણી અને અન્ય 6 લોકોને 2016 માં અમદાવાદમાં ઈન્કમટેક્સ સ્ક્વેર ખાતે રમખાણો, જાહેર સંપત્તિને નુકસાન અને ગેરકાયદેસર સભામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Gift City News: Gift City માં Global Hydrogen Trading માટે મિકેનિઝમ વિકસાવવા MoU થયા