Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : રાહુલ ગાંધીના પ્રવાસ સાથે રાજકીય ગરમાવો! હવે દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની (International Cooperative Day) ઉજવણીના ભાગરૂપે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ...
03:08 PM Jul 06, 2024 IST | Vipul Sen

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની (International Cooperative Day) ઉજવણીના ભાગરૂપે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) કહ્યું હતું કે, રાહુલ ગાંધીનો હેતું યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

સૌનો સાથ સૌના વિકાસની વાત હોવી જોઈએ : દિલીપ સંઘાણી

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રને લઈને કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં રાજનીતિ ન હોવી જોઈએ. નવી સંસ્થાઓ બનાવવાની ચર્ચા થઈ છે. તેમાં માત્ર BJP ને જ સંસ્થા બનાવી અન્ય પક્ષને નહીં એવો કોઈ ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે, સૌનો સાથ સૌના વિકાસની વાત હોવી જોઈએ.

'રાહુલ ગાંધી હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે'

ઉપરાંત, દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધીનો (Rahul Gandhi) હેતું યોગ્ય નથી. તેમણે દેશની સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. દિલીપ સંધાણીએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, તેમની માનસિકતા દેશ વિરોધી છે. તેમની હિંદુ વિરોધી માનસિકતાને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. હિંદુ સૌને સાથે લઈને ચાલનારો ધર્મ છે.

આ પણ વાંચો - Amit Shah : ગાંધીનગરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત

આ પણ વાંચો - Rahul Gandhi : અમારી ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી, જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

Tags :
anti-Hindu mentalityCM Bhupendra PatelDilip SanghaniGujarat FirstGujarati NewsInternational Cooperation DayInternational Cooperative DayMahatma Mandirnion and Home Cooperation Minister Amit Shahrahul-gandhi
Next Article