Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Freedom Fighter: આણંદમાં સ્વાતંત્ર્ય સેનાનીના યોગદાન કિંમત માત્ર રૂ. 5000

Freedom Fighter: આજે દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ સર્જાયો છે. પરંતુ આ આનંદની ઉજવણીની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીની સ્થિતિ આજે દયનીય છે. સ્વાતંત્ર્ય સેનાનીને...
freedom fighter  આણંદમાં સ્વાતંત્ર્ય સેનાનીના યોગદાન કિંમત માત્ર રૂ  5000
Advertisement

Freedom Fighter: આજે દેશભરમાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ સર્જાયો છે. પરંતુ આ આનંદની ઉજવણીની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીની સ્થિતિ આજે દયનીય છે.

  • સ્વાતંત્ર્ય સેનાનીને ગુજરાન ચલાવવા માટે માત્ર રૂ. 5000
  • સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેનના પરાક્રમો
  • શાંતાબેને ગુજરાત સરકારની પોલ ખોલી

ગુજરાતમાં 104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલે આઝાદીની લડાઈ અનોખું યોગદાન આપ્યું હતું. તેમણે બ્રિટિશ સરકાર સામે ભારત છોડોના નારોમાં શ્વાસ પૂર્યો હતો. તેમણે આઝાદીની કપરી લડાઈમાં મહાત્મા ગાંધીના કદમથી કદમ મળાવીને ચાલ્યા હતા.

Advertisement

સ્વાતંત્ર્ય સેનાનીને ગુજરાન ચલાવવા માટે માત્ર રૂ. 5000

Advertisement

Freedom Fighter

Freedom Fighter

પરંતુ આજે તેમને જીવન ટકાવી રાખવા માટે આપવામાં આવતા રૂપિયા 5,000 સરકારી પેન્શન પર સવાલ ઉઠાવ્યા છે. આ પેન્શન દેશની આઝાદી માટે લડનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ માનવામાં આવે છે. આ કરુણ વાસ્તવિકતા દેશ અને દેશવાસીઓના ચહેરાને શર્મથી નમાવી રહી છે.

આણંદ જિલ્લાના ભાદરણમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમના ભૂતકાળની બહાદુરીથી તદ્દન વિપરીત છે. શાંતાબેન પટેલે 1942 માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો.

સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેનના પરાક્રમો

તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પુણેની યરવડા જેલમાં પણ તેમણે સમય પસાર કર્યો હતો. 1938 માં હરિપુરા અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે શાંતાબેન હાજર હતા. પરંતુ જ્યારે બોઝ સભા સમાપ્ત કરીને જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર પર રાષ્ટ્રધ્વજ હતો નહી. તો તેમણે તેમની કાર પર રાષ્ટ્રધ્વજ લગાવ્યા બાદ જ સ્શળ પરથી નીકળવા દીધી હતી.

શાંતાબેને ગુજરાત સરકારની પોલ ખોલી

104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ કહે છે કે, 'વૃદ્ધાવસ્થાને કારણે મારે સ્થાનિક પગારદાર કેર ટેકરની જરૂર છે. હું પરિવારમાં એકલી છું અને મને જીવવા માટે સરકાર તરફથી જે સ્વાતંત્ર્ય સેનાની પેન્શન મળે છે, તે ખૂબ જ ઓછું છે અને તેનાથી જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે.'

આ પણ વાંચો: BAOU Republic Day: Dr. BR Ambedkar Open University માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×