Earthquake : કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ધરા ધ્રૂજી, આંચકો અનુભવતા લોકો બહાર દોડ્યા
રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના (Earthquake) આંચકા અનુભવ્યા છે. માહિતી મુજબ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. આજે સાંજે કચ્છના (Kutch) ભચાઉમાં ધજા ધ્રૂજી છે. આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવ થયા છે.
ભચાઉ
કચ્છના ભચાઉમાં (Bhachau) લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. માહિતી મુજબ, ભચાઉથી 21 કિલોમીટર દૂર આ ભૂંકપનું (Earthquake) કેન્દ્રબિંદુ નોંધાયું છે. બપોરે અંદાજે 4.45 મિનિટે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનો આંચકો અનુભવતા ભચાઉવાસીઓ બહાર નીકળી આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી.
મોરબી
મોરબીની (Morbi) વાત કરીએ તો 4.45 કલાકે ધરા ધ્રૂજી છે. જો કે, આંચકો હળવો હોવાની માહિતી સામે આવી છે. આથી, મોરબીમાં મોટા ભાગના લોકોને ભૂકંપના આંચકાની ખબર જ પડી નથી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. જો કે, ભુજ તરફ મોરબી કરતા થોડી વધુ અસર હોય શકે છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની (Surendranagar) વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ભૂકંપનો (Earthquake) હળવો આંચકો અનુભવાયો છે. બપોરે 4.45 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હળવો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. આંચકાનો અનુભવ થતા કેટલાક વિસ્તારમાં લોકો બહાર નીકળી આવ્યા હતા. જો કે, અત્યાર સુધી કોઈ મોટા નુકસાન અને જાનહાનિના સમાચાર નથી. જણાવી દઈએ કે, આ પહેલા 26 જાન્યુઆરી, 2001 ના વિનાશકારી ભૂકંપ બાદ ફરી સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી છે. જો કે, આ વખતે સદનસીબે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન અને જાનહાનિના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચોન - Rajkot: કેદીઓની બેરંગ જિંદગી ‘કલરફૂલ’ કરવા પ્રયાસ, મધ્યસ્થ જેલ વિવિધ રંગોથી રંગાઈ