Dhrangadhra Bank Crime: બેંકના મેનેજરે કંપનીના માલિક સાથે મળી આટલા લાખની કરી ઉચાપત
Dhrangadhra Bank Crime: દેશના ખૂણે-ખૂણે વસતા દરેક નાગરિકો ભવિષ્યમાં આવતા આર્થિક પડકારોને માત આપવા માટે નાણાંને બચત સ્વરૂપે Bank માં જમા કરાવતા હોય છે. પરંતુ આપણે એ વાતથી અનજાન નથી કે દેશ અને રાજ્યોના વિવિધ વિસ્તારોમાં Bank દ્વારા નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે.
- ધ્રાંગધ્રાની સ્થાનિક Bank માં લોન લઈ નાણાંની ઉચાપત કરી
- રૂ. 24.11 લાખની બેંક મેનેજરે ઉચાપત કરાવી
- બેંક મેનેજરે ખાનગી કંપનીના માલિકની કરી મદદ
ત્યારે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar) માં ધ્રાંગધ્રા તાલુકામાં Bank ને લઈ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ મામલાથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો (Surendranagar) હચમચી ગયો છે. જોકે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકામાં Dhrangadhra People's Co-operative Bank સામે નાણાંની ઉચાપત અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
રૂ. 24.11 લાખની બેંક મેનેજરે ઉચાપત કરાવી
ફરિયાદના આધારે Bank ના તત્કાલિન Bank Manager અને ખાનગી કંપનીના માલિકે Bank Loan ની રકમ બાકી હોય છતા NO Due Certificate રજૂ કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ વહીવટમાં ખાનગી કંપની માલિકે Bank Manager ની મદદથી રૂ. 24.11 લાખ જેટલી રકમ બેંકને ચૂકવી નહી. ત્યારે આ મામલે સમગ્ર ધ્રાંગધ્રા વિસ્તારમાં ખડબડાટ મચી ગયો છે.
Bank Manager એ ખાનગી કંપનીના માલિકની કરી મદદ
સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં તત્કાલિન બેંક મેનેજર પ્રાગજીભાઈ મારવી અને સંસ્કારધામ ગુરૂકુળના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: VADODARA : પાકિસ્તાનની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા બે દબોચી લેવાયા
આ પણ વાંચો: આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી
આ પણ વાંચો: Tharad : ખરીદ વેચાણ સંઘના ચેરમેને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું! ફોટો વાઇરલ થતા વિવાદ