Chhotaudepur canal: છોટાઉદેપુરમાં ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગના કામે લાગ્યા
Chhotaudepur canal: રાજ્ય સરકાર અને પાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ખેડૂતો અને નાગરિકોએ રાજ્ય સરકારને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું છે.
- બોડેલી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડ્યા
- ખેડૂતોના પાકને યોગ્ય પાણી પહોંચી નથી રહ્યું
- ખેડૂતોએ ખેતી છોડી કેનાલના ભંગાણ પૂર્યા
બોડેલી તાલુકાના ટીંબીમાં આવેલી કેનાલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થતો. જોકે વારંવાર ખેડૂતો અને નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા ગામના લોકો પાલિકાની સામે રોષે ભરાયા હતા.

Chhotaudepur canal
આ કેનાલમાંથી નીકળતું પાણી ગોવિંદપૂરા, તાંદલજા, ઘેલપુર ગામના ખેડુતોના પાકને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી કામે લાગ્યા હતા. આમ કહેવું ક્યાંય ખોટું નથી કે ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગ ના કામે લાગ્યા છે.
રાજ્ય સરકારની જમહિતની વાતો માત્ર વાતો બરાબર
રાજ્ય સરકાર હરહંમેશ જનહિતની ચિંતા કરતી હોય છે. જેમની પ્રાથમિક જવાબદારી ખેડૂતોને નિયમિત ખેતી માટે પાણી મળી રહે તે જોવાની છે. પરંતુ ક્યાંકને ક્યાંક કેટલાંક બાબુઓની બેદરકારીના પાપે ખેડૂતોની હાલત કફોડી બની છે.

Chhotaudepur canal
કેનાલમાં અનેક આવા ગાબડા પડેલા
બોડેલી તાલુકાના ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણાયક પરિણામલક્ષી પગલાં નહીં ભરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. ખેડુત પટેલ રોશનભાઈએ હતું કે, કેનાલ પર આવા અનેક ગાબડા પડયા છે. જે અંગે અનેક વખત તંત્રને રજુઆતો કરવા છતાં કોઇ રિસ્પોન્સ ના મળતા. આજે જાતે ખેતી કામ છોડી કેનાલ રેપેરિંગના કામે લાગ્યા છે.
અહેવાલ તૌફિક શૈખ