ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : અંકલેશ્વર દીવા ગામમાં એક સાથે 70 થી વધુ દૂધાળા પશુઓ મોત

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ  ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને પશુપાલકો પણ સમયસર પોતાના પશુઓ બચાવી શક્યા ન હતા. ભરૂચ જિલ્લાના અનેક પશુપાલકોના પશુઓના પાણીમાં તણાઈ ગયા હતા. તો કેટલાય પશુપાલકોએ પોતાના તબેલાઓમાં પશુઓને બાંધ્યા હતા. જેમને છોડવાનો...
08:25 AM Sep 20, 2023 IST | Hiren Dave

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ 

ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને પશુપાલકો પણ સમયસર પોતાના પશુઓ બચાવી શક્યા ન હતા. ભરૂચ જિલ્લાના અનેક પશુપાલકોના પશુઓના પાણીમાં તણાઈ ગયા હતા. તો કેટલાય પશુપાલકોએ પોતાના તબેલાઓમાં પશુઓને બાંધ્યા હતા. જેમને છોડવાનો સમય ન મળતા સંખ્યા બંધ પશુઓના મોત પણ થયા હોવાના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો છે

 

પશુપાલકને પણ મોટું આર્થિક નુકસાન

ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થતા ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પણ સંખ્યાબંધ પશુપાલકો પોતાના પશુઓને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ધસમસ્તા પાણીના પ્રવાહમાં કેટલાય પશુઓ તણાઈ પણ ગયા હતા અને કેટલાય પશુઓના મોત પણ થયા છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અનેક ગામોમાં પણ પશુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે જુના દીવા ગામમાં તબેલામાં બાંધેલા પશુઓને સમયસર છોડવામાં ન આવતા અને સ્પીડમાં પાણી આવી જતા 70 થી વધુ ભેંસોના તબેલામાં જ મોત થયા હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે અને પશુપાલકને પણ મોટું આર્થિક નુકસાન થયું હોય તેવી ઘટના સામે આવતા પશુપાલકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે

 

ભરૂચ જિલ્લામાં પશુપાલકોના પશુઓના મોત થતા તેમજ પશુઓ તણાઈ જતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા આગામી દિવસોમાં વળતરની માંગ કરનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે

આ  પણ  વાંચો-BHARUCH : અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા.. ઘરવખરીને પણ મોટું નુકસાન

 

Tags :
BharuchCattle breedersDiwa villageEast Patti areaFlood situation
Next Article