Banaskantha tattoo artist: Banaskantha માં tattoo artist એ અનોખી મુહિમ કરી ચાલુ
Banaskantha tattoo artist: Ayodhya ના રામ મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે Banaskantha ના પાલનપુરમાં એક tattoo artist ની અનોખી રામ ભક્તિ સામે આવી છે. પાલનપુરમાં એક ટેટૂ આર્ટિસ્ટ દ્વારા 22 જાન્યુઆરી સુધી પોતાની દુકાને રામના નામનું tattoo બનાવવા આવનાર તમામ લોકોને વિનામૂલ્ય tattoo બનાવી આપવામાં આવશે. ત્યારે આ ટેટૂ આર્ટિસ્ટની દુકાનની બહાર લાંબી કતારો લાગી છે.
- Banaskantha માં tattoo artist એ અનોખી મુહિમ કરી ચાલુ
- ટેટુ આર્ટિસ્ટ દ્વારા વિનામૂલ્ય રામ નામનું ટેટુ કંડારી અપાશે
- દરરોજ 40 થી વધુ લોકો શ્રી રામનું ટેટુ બનાવવા આવી રહ્યા
Banaskantha માં tattoo artist એ અનોખી મુહિમ કરી ચાલુ
Banaskantha જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રહેતો યુવક અશોક સુથાર છેલ્લા 10 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. તેણે છેલ્લા 10 વર્ષમાં Banaskantha માં અસંખ્ય લોકોના શરીર પર tattoo બનાવી આપ્યા છે. પરંતુ તાજેતરમાં દેશ રામમય બન્યો છે. ત્યારે આ દિવસોને કેવી રીતે યાદગાર દિવસો બનાવવા તેને લઈ અશોક સુથારને એક નવી યોજના બનાવી હતી.
Banaskantha tattoo artist
દરરોજ 40 થી વધુ લોકો શ્રી રામનું tattoo બનાવવા આવી રહ્યા
ત્યારે આ યુવકે પોતાની દુકાનમાં પ્રભુ શ્રીરામના નામનું tattoo કંડારવા આવનાર તમામ લોકો માટે કોઈપણ જાતનો ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો તેમને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એક દિવસમાં 40 થી વધુ લોકો આ tattoo artist ને ત્યાં પ્રભુ શ્રીરામનું નામ કંડારવા આવી રહ્યા છે.
tattoo artist દ્વારા વિનામૂલ્ય રામ નામનું tattoo કંડારી અપાશે
તે સહિત tattoo કંડારવા આવનાર રામ ભક્તોનું પણ કહ્યું છે કે આ દિવસો રામ ભક્તિના દિવસો છે. આ દિવસોમાં તેમને પોતાના શરીર ઉપર જીવન ભર રહે તેવું ભગવાન શ્રીરામનું નામ લખાવી ધન્યતા અનુભવી છે. આ બાબતે tattoo artist અશોક સુથારે જણાવ્યું હતું કે, મને વિચાર આવ્યો કે આ દિવસોમાં પ્રભુ શ્રી રામનું આપને શું કરી શકીએ અને મેં આ આઈડિયા કર્યો કોઈનો એક પણ રૂપિયો લીધા વિના રામ નામનું tattoo કંડારી આપું.
અહેવાલ સચિન શેખલીયા
આ પણ વાંચો: Surat Civil Hospital: સુરતમાં એક બાજુ ડૉક્ટરોની લાલીયાવાડી, તો પોલીસ દયાભાવી