Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.
gandhinagar   ગુજરાત વાહન વ્યવહાર વિભાગ  e detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે
Advertisement
  1. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે (Gandhinagar)
  2. મોટર વાહન કાયદાને ટેક્નોલોજીનાં માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરાશે
  3. PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યૂ થશે
  4. ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના દસ્તાવેજ પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યૂ કરાશે

Gandhinagar : આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીનાં માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધું સશક્ત કરવા તેમ જ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યમાં આવેલા NHAI તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં (Roads and Buildings Department) તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ટ્રાન્સપોર્ટ વાહનોનાં પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો તેમને ઇ-ચલણ ઇસ્યૂં કરવામાં આવશે.

આ પણ વાંચો - Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 3 બાળકોનાં મૃતદેહ મળ્યા

Advertisement

એનઆઈસી. દ્વારા "E-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghavi) માર્ગદર્શનમાં રાજય સરકારની “Ease of doing Business" તથા "Ease of living” ની પરિકલ્પનાને સાકાર કરવા એન.આઈ.સી. દ્વારા "E-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

Parivahan પોર્ટલ પર ડોક્યૂમેન્ટ્સ અદ્યતન રાખવા સૂચના

ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારનાં ટ્રાન્સપોર્ટરો તેમ જ વાહન ચાલકો-માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનનાં PSU, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યૂમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન રાખવા અને જો ના હોય તો દિન-7 (સાત) માં અદ્યતન કરાવી લેવા તથા ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર (Gandhinagar) દ્વારા જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

featured-img
Top News

Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

×

Live Tv

Trending News

.

×