Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
rte હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો  વાંચો વિગત
Advertisement
  1. રાજ્યના શિક્ષણ વિભાગે RTE માં પ્રવેશ માટે આવક મર્યાદા રૂ. 6 લાખ કરી
  2. આવક મર્યાદા વધારા અંગે વિભાગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કર્યો
  3. શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની આવક મર્યાદા હતી
  4. આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા રૂ. 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે, હવે રાજ્યનાં શિક્ષણ વિભાગે (Gujarat Education Board) આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરી છે. સાથે જ RTE પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

Advertisement

Advertisement

શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની આવક મર્યાદા હતી

જણાવી દઈએ કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં બાળકનાં પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદા શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગ (Gujarat Education Board) દ્વારા આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ તે, આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે. હવે, આરટીઈમાં પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

આ પણ વાંચો - RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક વધારવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત

રાજ્યનાં શિક્ષણમંત્રીએ પણ આપ્યા હતા સંકેત

નોંધનીય છે કે, અગાઉ રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) પણ આ મામલે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, RTE હેઠળ પ્રવેશકાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે, હવે આવક મર્યાદામાં વધારો થતાં ગરીબ અને ઓછી આવક ધરાવતા વધુ પરિવારોનાં બાળકોને આરટીઈ હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે.

આ પણ વાંચો - Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

×

Live Tv

Trending News

.

×