Allu Arjun ને સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા
- તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહી કરવી પડશે
- નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું
- 13 ડિસેમ્બરે Allu Arjunની ધરપકડ કરી હતી
Allu Arjun Stampede Case : 3 જાન્યુઆરીએ Nampally Court એ સંધ્યા થિયેટર કેસમાં Allu Arjun ની જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. તેને કાયમી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. હવે સમાચાર છે કે કોર્ટે તેમની સામે કેટલીક શરતો પણ મૂકી છે.
તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહી કરવી પડશે
Allu Arjun ને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય અથવા આગામી બે મહિના સુધી તેણે દર રવિવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહી કરવી પડશે. આ સિવાય તે અત્યારે વિદેશ પ્રવાસ પણ કરી શકે તેમ નથી. વિદેશ પ્રવાસની પરવાનગી ન મળવાને કારણે Allu Arjun ની પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે.
આ પણ વાંચો: યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun arrives at Metropolitan Criminal Court at Nampally in Hyderabad
He will submit the sureties today after he was granted regular bail by the Court yesterday in the Sandhya Theatre incident case. pic.twitter.com/O2flRTa6P2
— ANI (@ANI) January 4, 2025
નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું
Allu Arjunના વકીલો આ શરતો સામે કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. નોંધનીય છે કે આ પહેલા Allu Arjun ને તેલંગાણા High Court થી વચગાળાના જામીન મળ્યા હતા. હવે Nampally Court એ તેમને આ શરતો સાથે નિયમિત જામીન આપ્યા છે. Allu Arjun ની ફિલ્મ પુષ્પા 2 એ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. તેના એક દિવસ પહેલા 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું.
13 ડિસેમ્બરે Allu Arjun ની ધરપકડ કરી હતી
પોલીસે આ મામલામાં 13 ડિસેમ્બરે Allu Arjun ની ધરપકડ કરી હતી. નીચલી કોર્ટે Allu Arjun ને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો, પરંતુ તે દિવસે તેલંગાણા High Court એ તેને આ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ Allu Arjun ના વકીલે નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર 30 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી.
આ પણ વાંચો: જે ફિલ્મ ભારતમાં રિલીઝ ન થઈ શકી, તેની આંતરાષ્ટ્રીય સ્તેર વાહવાહી