Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shani Gochar 2024 : સૂર્યગ્રહણ પહેલા આ 4 રાશિઓમાં થઈ રહ્યું છે મોટું પરિવર્તન,વાંચો અહેવાલ

Shani Gochar 2024: શનિદેવને (Shani Gochar)ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા કહેવાય છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ જ્યારે પોતાની ચાલ બદલે છે તો આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવની બદલતી ચાલનો પ્રભાવ...
10:08 AM Apr 06, 2024 IST | Hiren Dave
Shani Nakshatra Parivartan

Shani Gochar 2024: શનિદેવને (Shani Gochar)ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા કહેવાય છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ જ્યારે પોતાની ચાલ બદલે છે તો આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવની બદલતી ચાલનો પ્રભાવ રાશિચક્રની દરેક રાશિ પર જોવા મળે છે.

 

સૂર્યગ્રહણ પહેલા આ 4 રાશિમાં થશે મોટો ફેરફાર

6 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3.55 કલાકે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર (Shani Gochar) કરશે. આ નક્ષત્ર પરિવર્તન (Shani Nakshatra Parivartan) ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે શનિવારના દિવસે જ શનિદેવ નક્ષત્ર બદલી રહ્યા છે. સૂર્યગ્રહણ પહેલા પણ આ મહત્વની ઘટના ગણાશે. આગામી 3 ઓક્ટોબર 2024 સુધી શનિ આ નક્ષત્રમાં જ ગોચર કરશે. 3 ઓક્ટોબર 2024 સુધીનો સમય ચાર રાશિ માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ચાર રાશિ કઈ છે અને તેમને કેવા ફાયદા થશે.

મેષ રાશિ

શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને લાભ થશે. 3 ઓક્ટોબર સુધીનો સમય આ રાશિ માટે શુભ છે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે અને ધન લાભના પણ પ્રબળ યોગ છે. તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓ દૂર થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થવાના યોગ છે. પ્રમોશન મળી શકે છે.

મકર રાશિ

મકર રાશિના લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. શનિદેવની કૃપાથી નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમય દરમિયાન સંપત્તિ કે વાહન ખરીદવાના પણ યોગ સર્જાશે. ધન લાભના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભ કરાવશે. ધન સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. ઉપરી અધિકારીઓ કામના વખાણ કરશે. પ્રમોશન પણ થઈ શકે છે. વેપારીઓના હાથમાં નવી ડીલ આવી શકે છે. નફો વધશે.

ધન રાશિ

ધન રાશિના લોકોને પણ શનિદેવ લાભ કરાવશે. નોકરી કરતા લોકોને નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓને નફો થઈ શકે છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. દાંપત્યજીવનની સમસ્યા દૂર થશે. પાર્ટનર સાથે ફરવા જવાનું થઈ શકે છે. કાર્યમાં આવતી બાધા દૂર થશે. રોકાણ કરવા માટે સારો સમય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

 

આ  પણ  વાંચો - CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

આ  પણ  વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે અચાનક થશે ધન લાભ

Tags :
4 ZodiacsGujarat FirstRashifalShani Gochar 2024Shani Nakshatra Parivartan
Next Article