Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mauni Amavasya પહેલાં પ્રયાગરાજમાં ભારે ભીડ, આજે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે સંગમમાં મહાસ્નાન

Mauni Amavasya: મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે
mauni amavasya પહેલાં પ્રયાગરાજમાં ભારે ભીડ  આજે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે સંગમમાં મહાસ્નાન
Advertisement
  1. બુધવાર અને અમાસનો વિશિષ્ટ ખગોળીય સંયોગ
  2. કરોડો લોકો ઉમટવાની સંભાવનાએ સઘન વ્યવસ્થા
  3. તમામ 44 ઘાટ પર સ્નાન માટે વિશેષ વ્યવસ્થાઓ

Mauni Amavasya: પ્રયાગરાજ અત્યારે ધર્મનગરી બની ગયું છે, સાધુ, સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ અત્યારે આ ધરાને પાવન કરી રહ્યાં છે. ત્યારે મૌની અમાવસ્યાના સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ આવી રહ્યાં છે. મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે. નોંધનીય છે કે, મૌની અમાવસ્યા માટે આજે રાત્રે 8 વાગ્યાથી મહાસ્નાનની શરૂઆત થશે. સામાન્ય સંજોગોમાં પણ બુધવારે આવતી અમાસ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાય છે. પરંતુ આવતીકાલે બુધવારે આવતી મૌની અમાવાસ્યા (Mauni Amavasya) ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે.

અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે સવારે શરૂ થશે

પ્રયાગરાજમાં લગભગ 12 કિલોમીટર વિસ્તારનાં બનાવેલા તમામ 44 ઘાટ પર સ્નાન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે સવારે શરૂ થશે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના શ્રદ્ધાળુઓ માટે અરૈલમાં ખાસ સ્નાનઘાટ બનાવાયો છે. આજે પ્રયાગરાજમાં 35.50 લાખથી વધુ શ્રદ્ધાળુએ સંગમમાં ડૂબકી લગાવી હતી. અત્યાર સુધીમાં મહાકુંભમાં કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 15 કરોડને પાર ગઈ છે. આવતીકાલે મૌની અમાવસ્યા (Mauni Amavasya)એ આસ્થા અને ભક્તિનો એક નવો કિર્તીમાન સ્થપાશે.

Advertisement

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરાઈ છે ખાસ વ્યવસ્થા

Advertisement

મૌની અમાવસ્યાનું કોણ ક્યારે કરશે અમૃત સ્નાન?

સમયકોણ સ્નાન કરશે?
5 વાગ્યાથી સ્નાનનું બ્રહ્મ મુહૂર્ત
મહાનિર્વાણી અખાડાના નાગા સંન્યાસીઓ
5 વાગ્યે
શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા સ્નાન કરશે
સવારે 5.50 વાગ્યે
નિરંજન અખાડા, આનંદ અખાડા સ્નાન કરશે
સવારે 6.45 કલાકે
જૂના અખાડાના સ્નાનો સમય નિર્ધારિત
6.45 કલાકે
આવાહન અખાડા, પંચ અગ્નિ અખાડા સ્નાન કરશે
સવારે 9.25 કલાકે
વૈરાગી અખાડાના સંતો સ્નાન કરશે
સવારે 10.05 કલાકે
દિગંબર અની અખાડાના સંત સ્નાન કરશે
સવારે 11.05 કલાકે
નિર્મોહી અખાડાના સાધુ-સંત સ્નાન કરશે
છેલ્લે ઉદાસીન પરંપરાના ત્રણેય અખાડા સ્નાન કરશે
12 વાગ્યે
પંચાયતી અખાડાના સાધુ-સંત અમૃત સ્નાન કરશે
બપોરે 1.05 કલાકે
પંચાયતી અખાડા બડા ઉદાસીન સ્નાન કરશે
બપોરે 2.25 કલાકે
પંચાયતી નિર્મળ અખાડા સ્નાન કરશે

અખાડાઓ માટે કરાયેલી વ્યવસ્થા

મહાકુંભમાં મૌની અમાવસ્યા (Mauni Amavasya)ના સ્નાન માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અખાડાના સાધુ-સંત અને શિષ્ય સ્નાનઘા પર સ્નાન કરશે. જ્યારે અમૃત સ્નાન માટે અખાડાના માર્ગો પર બેરિકેડિંગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મુખ્ય અમૃત સ્નાન પર્વ પર હેલિકોપ્ટરથી સાધુ-સંતો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 21 ક્વિન્ટલ ગુલાબના ફૂલ સાધુ-સંતો પર વરસાવવામાં આવશે.

આ પણ વાંચો: Mahakumbh 2025: ગુજરાત ફર્સ્ટની વૃંદાવનથી આવેલ Anil Krishna Shastri સાથે સીધી વાત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

EPFO ની મોટી ભેટ,Auto Settlement લિમિટ 1 લાખથી વધારી કરાઈ આટલા લાખ, જાણો

featured-img
અમદાવાદ

Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!

featured-img
Top News

Gujarat Police ના ઇતિહાસમાં સૌથી ચકચારી વિવાદમાં PSI સસ્પેન્શનથી કેમ બચી ગયા ?

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel Iran War: ‘હું ઈઝરાયલથી નારાજ છું, હવે યુદ્ધ મોરચેથી સૈનિકો પાછા બોલાવો...’ ટ્રમ્પ નેતન્યાહૂ પર ભડક્યા

featured-img
રાષ્ટ્રીય

ECI : 'અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો'

featured-img
ગુજરાત

Rain in Gujarat : અરવલ્લીમાં આભ ફાટ્યું! 400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી

.

×