Mangal Nakshatra Parivartan: મંગળ ગોચરથી 3 રાશિઓને લોટરી લાગશે!
- મંગળ ગુરુ ગ્રહના નક્ષત્રમાં ગોચર કરશે
- 12 જાન્યુઆરીએ મંગળ પરિવર્તન કરશે
- આ 3 રાશિના જાતકોને થશે લાભ
Mangal Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો સેનાપતિ મંગળ કોઈપણ એક રાશિ અને નક્ષત્રમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. આવી સ્થિતિમાં 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. ટૂંક સમયમાં જ મંગળ દ્વારા નક્ષત્ર પરિવર્તન થશે જેની કેટલીક રાશિઓ પર શુભ અસર થઈ શકે છે. મંગળ (Mangal Nakshatra Parivartan) ગુરુ ગ્રહના નક્ષત્રમાં ગોચર કરશે. 12 જાન્યુઆરીએ મંગળ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
12 જાન્યુઆરીએ મંગળ નક્ષત્ર પરિવર્તન કરશે
દ્રિક પંચાંગ અનુસાર, મંગળ 12 જાન્યુઆરી, 2025ને રવિવારના રોજ રાત્રે 11:52 વાગ્યે ગુરુ ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 3 રાશિઓનું નસીબ ઉજ્જવળ કરી શકે છે. ચાલો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?
વૃષભ રાશિ
સિંહ રાશિ
મંગળનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. સામાજિક કાર્યોમાં રસ વધી શકે છે. તમે રોકાણ પર વિચાર કરી શકો છો, જેનાથી નફો થવાની સંભાવના છે. જે કામ તમે ઘણા સમયથી પૂરા નથી કરી શક્યા તે જલ્દી જ પૂરા થશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. મનમાં ઉત્સાહ રહેશે. બિનજરૂરી તણાવથી દૂર રહેશો. પૈસા સંબંધિત કામ પૂરા થશે.
ધન રાશિ
12મી જાન્યુઆરીથી ધન રાશિના જાતકોના જીવનમાં નવા બદલાવ આવવાના છે. તમે જે કામ કરવાનું વિચારી રહ્યા હતા તે પૂર્ણ થશે. તમે વાહન ખરીદવાનું વિચારી શકો છો. નવી મિલકત ખરીદવાની સંભાવના છે. વાહન ખરીદી શકો. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે. સમાજમાં તમારું માન-સન્માન વધી શકે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. ગુજરાતી ફર્સ્ટ આની પુષ્ટિ કરતું નથી.