હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે, આવો જાણીએ
અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી છે. આ દિવસે કરવામાં આવેલા દાન પૂણ્યનું અનેક જન્મો સુધી ફળ મળે છે. આજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે ધાર્મિક ઈતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ આ દિવસના ઈતિહાસ વિશે....
ભગવાન પરશુરામનો જન્મ
- ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.
- મહર્ષિ જમદગ્ની અને માતા રેણુંકાદેવીના ઘરે તેમનો જન્મ થયો હતો.
- આ કારણે જ અખાત્રીજે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.
- આ દિવસે ભગવાન પરશુરામજીની પુજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે.
ગંગામૈયા ધરતી પર અવતર્યા
- રાજા ભાગીરથે ગંગાને ધરતી પર અવતરીત કરવા તપ કર્યું હતું.
- અખાત્રિજના દિવસે ગંગામૈયા ધરતી પર અવતર્યાં હતા.
- આ દિવસે ગંગા સ્નાનનું પણ અનેરૂ ધાર્મિક મહત્વ છે.
મા અન્નપૂર્ણાંનો જન્મદિન
- અખાત્રીજના દિવસે મા અન્નપૂર્ણાંનો જન્મદિવસ છે.
- આ દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે.
- અન્નપૂર્ણાંના પુજનથી ઘર ધાન્યથી ભરપુર રહે છે.
મહાભારત લખવાની શરૂઆત
- મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે.
- અખાત્રીજના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી.
- અખાત્રીજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય વાંચવો જોઈએ.
બંગાળમાં અખાત્રીજને હલખતા કહે છે
- અખાત્રીજના દિવસે બંગાળમાં ગણેશજી અને લક્ષ્મીજીની પુજા થાય છે
- બંગાળમાં અખાત્રીજના દિવસે વેપારીએ ચોપાડા પુજન કરે છે.
- અહીં અખાત્રીજને 'હલખતા' કહેવામાં આવે છે.
લક્ષ્મીજીની પુજાની પરંપરા
- શિવજીએ આ દિવસે કુબેરજી અને લક્ષ્મીજીની પુજા કરવાની સલાહ આપી હતી.
- જે બાદ આ દિવસે લક્ષ્મીજીનું પુજન થાય છે.
- લક્ષ્મીજીના પુજનની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે.
યુદ્ધિષ્ઠીરને અક્ષય પાત્રની પ્રાપ્તિ
- અખાત્રીજના દિવસે જ પાંડવપુત્ર યુદ્ધિષ્ઠિકને અક્ષય પાત્ર મળ્યું હતું.
- અક્ષય પાત્રમાં ક્યારેય ભોજન પુરુ થતું નથી.
અક્ષય તૃતિયાનું શું છે મહત્વ?
અક્ષય તૃતિયાના દિવસે શુભકાર્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. આ દિવસે કમાણીનો થોડો ભાગ દાન કરવાનું પણ અનેરું ધાર્મિક મહત્વ છે.
આ પણ વાંચો : અક્ષય તૃતીયાને લઈ ભોગ માટે દૂધ સાથે બનાવો આ 4 વસ્તુઓ, તેની રેસીપી ખૂબ જ સરળ