Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારી અંગે RBI ગવર્નરની વધુ એક ચેતવણી...બેંકોને પણ આપવામાં આવી આ સૂચના

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India)ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) ફરી એકવાર મોંઘવારી અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર છે. આવી સ્થિતિમાં, અમે મોંઘવારી (Retail Inflation) પ્રત્યે સાવચેત છીએ અને ભવિષ્યમાં પણ...
મોંઘવારી અંગે rbi ગવર્નરની વધુ એક ચેતવણી   બેંકોને પણ આપવામાં આવી આ સૂચના

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India)ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) ફરી એકવાર મોંઘવારી અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર છે. આવી સ્થિતિમાં, અમે મોંઘવારી (Retail Inflation) પ્રત્યે સાવચેત છીએ અને ભવિષ્યમાં પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તેમણે કહ્યું કે રિટેલ ફુગાવાને લઈને ઘણા પગલાં લેવામાં આવ્યા છે. વૃદ્ધિને બદલે મોંઘવારી ઘટાડવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. મોનેટરી પોલિસીમાં ફુગાવા અંગે ઘણી ચર્ચા થઈ છે. જો કે, ખાદ્ય ફુગાવો (Food Inflation)હજુ પણ ચિંતાનો વિષય છે, જે ભારતની સાથે અન્ય દેશોમાં પણ સમસ્યા છે.

Advertisement

RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે ભાવમાં તાજેતરની નરમાઈ હોવા છતાં, ભારત હવામાનની ઘટનાઓ અને વૈશ્વિક પરિબળોથી ખાદ્યપદાર્થોના ભાવ આંચકા માટે સંવેદનશીલ છે. બેન્કર્સની એક કોન્ફરન્સમાં બોલતા દાસે કહ્યું હતું કે ભલે મોંઘવારી ઘટી હોય, એમપીસીએ ફુગાવા અંગે સાવધાન રહેવું જોઈએ. એક મહિનામાં ફુગાવાના જોખમને લઈને RBIગવર્નરની આ બીજી ચેતવણી છે. અગાઉ 8 નવેમ્બરે શક્તિકાંત દાસે (Shaktikanta Das)જાપાનમાં ચિંતા વ્યક્ત કરી હતી.

Advertisement

અર્થવ્યવસ્થામાં માંગ વધી શકે છે
મંગળવારે નાણા મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે વૃદ્ધિને લઈને આશાવાદી છે, પરંતુ ફુગાવા અંગે સાવચેત છે. સરકારને આશા છે કે આવનારા સમયમાં કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે અને એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં (Economy)માંગ વધી શકે છે. દાસે વધુમાં જણાવ્યું હતું કે ફુગાવાના લક્ષ્યાંકની સાથે, બેલેન્સ શીટને મજબૂત કરવા અને બેંકિંગ સિસ્ટમને લગતા જોખમો પર સંપૂર્ણ ફોકસ છે.

Advertisement

બેંકોએ વધુ લોન કેમ ન આપવી જોઈએ
બેંકો સંબંધિત જોખમો વિશે વાત કરતા આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બેંકો અને NBFCએ તણાવ પરીક્ષણ ચાલુ રાખવું જોઈએ. એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટને મજબૂત રાખવું પડશે. કેટલાક ધિરાણકર્તાઓએ લોનની મુદત પણ લંબાવી છે. આવી સ્થિતિમાં, જવાબદારી જાળવવા માટે, બેંકોએ ઘણી બધી લોન વહેંચવી જોઈએ નહીં.

ફુગાવાના આંકડા શું કહે છે?

નોંધનીય છે કે જો આપણે સપ્ટેમ્બરના ફુગાવાના (Retail Inflation)ડેટા પર નજર કરીએ તો શાકભાજીના ભાવમાં નરમાઈના કારણે ભારતનો છૂટક ફુગાવો 5.02%ના ત્રણ મહિનાના નીચા સ્તરે આવી ગયો છે. જો કે, તે હજુ પણ 4 ટકાના લક્ષ્યાંક કરતાં વધુ છે. ઓક્ટોબરમાં ગ્રાહક ફુગાવો 4.87 ટકાના લક્ષ્યની નજીક પહોંચી ગયો છે, જે ચાર મહિનામાં સૌથી નીચો સ્તર છે. જોકે, ઓક્ટોબરમાં ખાદ્ય અને પીણાંનો ફુગાવો અગાઉના મહિનાની સરખામણીએ 6.24% પર યથાવત રહ્યો હતો. સેન્ટ્રલ બેંકે છેલ્લી ચાર મીટિંગ દરમિયાન પોલિસી રેટ યથાવત રાખ્યા છે. એવી અપેક્ષા છે કે 2023-24માં સરેરાશ ફુગાવો 5.4 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષના ફુગાવાના દર કરતા ઓછો છે.

આ  પણ  વાંચો -યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ગૌતમ અદાણીનો મોટો સોદો… સંરક્ષણ ક્ષેત્રમાં વધશે પ્રભુત્વ…

Tags :
Advertisement

.