Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વામિનારાયણનગરમાં બાળકો માટે બનાવાઇ નિયમ કુટિર

સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં આવતા લોકો માત્ર ફરીને પાછા જતા રહે એના કરતાં તેમનામાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ત્યાં નિયમ કુટિર બનાવવામાં આવ્યા છે. આ નિયમ કુટિર પર ત્રણ વર્ષથી લઈ 14 વર્ષના બાળકોમાં સારા સંસ્કારનો સિંચન થાય તે હેતુથી નિયમ કુટિરની મુલાકાત લેતા બાળકોને કેટલાંક નિયમોથી વાકેફ કરાવવામાં આવે છે.આ નિયમોમાં જો બાળકોને રસ પડે તો બાળકો નિયમો લે છે.કયા નિયમો આપવામાં આવ
01:39 AM Dec 22, 2022 IST | Vipul Pandya
સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં આવતા લોકો માત્ર ફરીને પાછા જતા રહે એના કરતાં તેમનામાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ત્યાં નિયમ કુટિર બનાવવામાં આવ્યા છે. આ નિયમ કુટિર પર ત્રણ વર્ષથી લઈ 14 વર્ષના બાળકોમાં સારા સંસ્કારનો સિંચન થાય તે હેતુથી નિયમ કુટિરની મુલાકાત લેતા બાળકોને કેટલાંક નિયમોથી વાકેફ કરાવવામાં આવે છે.આ નિયમોમાં જો બાળકોને રસ પડે તો બાળકો નિયમો લે છે.કયા નિયમો આપવામાં આવે છે આવો જોઈએ.
શું છે નિયમ કુટિર
સ્વામિનારાયણ નગરમાં સંસ્કારોનું સિંચન થાય એવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી છે.આ નગરમાં એક નિયમ કુટિર પણ બનાવવામાં આવી છે. આ નિયમ કુટિરમાં બાળકોમાં સારા સંસ્કારો આવે તે હેતુથી પાંચ જેટલા નિયમો બાળકોને સમજાવવામાં આવે છે.આ નિયમો બાળકો સમજ્યા બાદ તેમાંથી કોઈ પણ નિયમો પાળવા માટે સંમત થાય છે. બાળક જ્યારે સંમત થાય ત્યારે તેમને ભગવાનના ફોટાને પગે લગાડવામાં આવે છે.ત્યાર પછી બાળક નિયમોનું પાલન કરતા થાય તો બાળકોમાં ખરેખર સંસ્કાર આવવાની શરૂઆત કહેવાય.આ નિયમ કુટિર ખાતે બાળકોને પાંચ પ્રકારના નિયમો અપાય છે.

નિયમો
  • માતા પિતાને નિત્ય ચરણ સ્પર્શ કરીશ, તથા તેમની આજ્ઞાનું પાલન કરીશ
  • હું દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરીશ
  • હું દરરોજ 15 મિનિટ સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ
  • હું મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો , જાળવીને અને જાહેરમાં કરીશ
  • હું ખંતપૂર્વક અને એકાગ્રતાથી અભ્યાસ કરીશ.
આ પાંચ નિયમો બાળકોને આપવામાં આવે છે, જેમાંથી કેટલાંક બાળકો એક નિયમ, કેટલાંક 2 નિયમ તો કેટલાંક બાળકો 5 નિયમો લેવાની તૈયારી દર્શાવે છે. બાળકોના જીવનના ઘડતરમાં આ પાંચ નિયમો ખૂબ અગત્યના સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો--સ્વામિનારાયણનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું બેગપાઇપર થીમ બેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratFirstPSM100ShatabdiMahotsavSwaminarayanNagar
Next Article