વિરોધ પક્ષ એલાયન્સ I.N.D.I.Aની બે દિવસીય બેઠક સમાપ્ત થયા બાદ રાહુલ ગાંધીએ મારી બડાશ, કહ્યું ભાજપની હાર નિશ્ચિત
મુંબઈમાં વિરોધ પક્ષ એલાયન્સ I.N.D.I.Aની બે દિવસીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ગઠબંધનનો લોગો આજે બહાર પાડવામાં આવ્યો ન હતો. મહાગઠબંધનના સંયોજક પર પણ સસ્પેન્સ યથાવત છે. દરમ્યાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બડાશ મારતા કહ્યું કે આ મંચ પર હાજર પક્ષો દેશની 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જો તેઓ એકજૂટ રહેશે તો ભાજપની હાર નિશ્ચિત છે. હવે ભાજપ માટે જીતવું અશક્ય છે,
રાહુલ ગાંધીએ કહ્યું કે મેં લદ્દાખમાં એક અઠવાડિયું વિતાવ્યું. હું પેંગોંગ તળાવની સામે ગયો જ્યાં ચાઈનીઝ છે. ત્યાંના લોકોએ મને કહ્યું કે ચીનીઓએ ભારતની જમીન હડપ કરી છે. તેમણે મને કહ્યું કે વડાપ્રધાન આ અંગે ખોટું બોલી રહ્યા છે. લદ્દાખનો દરેક વ્યક્તિ આ વાત જાણે છે. સરકારે ભારતની જનતા અને લદ્દાખની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આપણા પશુપાલકોએ પોતે અમને જણાવ્યું હતું કે તેઓ જે વિસ્તારોમાં જતા હતા ત્યાં તેમને જવા દેવામાં આવતા નથી. લદ્દાખમાં જે બન્યું તે ખૂબ જ શરમજનક છે.
આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે પીએમ મોદીએ ખોટું બોલીને ચૂંટણી જીતી. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે તેમના અને અન્ય નેતાઓના પૈસા સ્વિસ બેંકોમાં જમા છે. તેને લાવશે અને દરેકને 15 લાખ રૂપિયા આપશે. આ માટે દરેકના ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. અમે અમારા પોતાના, પત્ની અને બાળકોના ખાતા પણ ખોલાવ્યા હતા જેથી અમને પણ પૈસા મળી શકે, પરંતુ અમને કંઈ મળ્યું નહીં. અમે પીએમ મોદીને હટાવીને જ મરીશું. હવે ચંદ્ર પછી, તેમને સૂર્ય તરફ લઈ જાઓ. આપણે બધા એક છીએ અને સાથે મળીને આ લડાઈ લડીશું. અમે રાહુલ ગાંધીને ખાતરી આપીએ છીએ કે અમે બધા એક થઈશું અને તમામ લોકોને સમાવીશું અને ભવિષ્યમાં સીટની વહેંચણી શરૂ કરીશું. કોઈ મુશ્કેલી કે અડચ નહીં આવે.