Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્પાઇસ જેટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કહ્યુ એરલાઇન્સ બંધ થઇ જાય તો પરવા નથી, 15 તારીખ સુધીમાં ચુકવો 4 કરોડ

સ્પાઈસ જેટ એરલાઈન્સના ચેરમેન અજય સિંહ પર સુપ્રીમ કોર્ટ કડક બની છે. સુપ્રીમ કોર્ટે અજય સિંહને કહ્યું કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં 4.15 કરોડ રૂપિયાનો હપ્તો નહીં ચૂકવવામાં આવે તો તેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત, તેને $10...
સ્પાઇસ જેટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ  કહ્યુ એરલાઇન્સ બંધ થઇ જાય તો પરવા નથી  15 તારીખ સુધીમાં ચુકવો 4 કરોડ
સ્પાઈસ જેટ એરલાઈન્સના ચેરમેન અજય સિંહ પર સુપ્રીમ કોર્ટ કડક બની છે. સુપ્રીમ કોર્ટે અજય સિંહને કહ્યું કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં 4.15 કરોડ રૂપિયાનો હપ્તો નહીં ચૂકવવામાં આવે તો તેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત, તેને $10 લાખની ડિફોલ્ટ રકમ ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું, તમે મરી જાઓ તો પણ અમને કોઈ ફરક નથી પડતો.
કોર્ટે કહ્યું, અમારે કડક પગલાં ભરવા પડશે
સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટે અજય સિંહ વિરુદ્ધ અવમાનનાની નોટિસ જારી કરી હતી. કોર્ટે કહ્યું, અમારે કડક પગલાં ભરવા પડશે. એરલાઈન્સ બંધ થઈ જાય તો પણ અમને કોઈ પરવા નથી. હવે તો બહુ થઈ ગયું. કરારની શરતોનું પાલન કરવાનું રહેશે. તેમને દરેક સુનાવણીમાં હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.
ખરેખર, ક્રેડિટ સુઈસ અને સ્પાઈસજેટ વચ્ચે 2015થી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. ક્રેડિટ સુઈસે એરલાઈન્સ પર $24 મિલિયન આશરે રૂ. 198 કરોડની લેણી રકમનો દાવો કર્યો છે. મદ્રાસ હાઈકોર્ટે 2021માં કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અપીલ પર  સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને બંને પક્ષકારોને ઉકેલ શોધવા માટે કહ્યું હતું.
ગયા વર્ષે ઓગસ્ટમાં, બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેઓ કેસનું સમાધાન કરવા માટે સંમત થયા છે. પરંતુ, આ વર્ષે માર્ચમાં, ક્રેડિટ સુઈસે સ્પાઈસ જેટના એમડી અજય સિંહ સામે તિરસ્કારનો કેસ દાખલ કર્યો હતો. એરલાઈન્સે જણાવ્યું હતું કે સેટલમેન્ટની શરતો અનુસાર કંપની તેના લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહી છે.
સ્પાઇસજેટે મારન પરિવારને 62.5 કરોડ રૂપિયા આપ્યા
સ્પાઈસજેટે સોમવારે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી હતી કે તેણે આર્બિટ્રેશન એવોર્ડ એક્ઝિક્યુશનના સંદર્ભમાં સન ગ્રુપના ચેરમેન કલાનિથિ મારનને 100 કરોડ રૂપિયાના બાકી લેણાંમાંથી 62.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એરલાઈને મંગળવાર સુધીમાં મારનને બાકીના 37.5 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. સ્પાઇસજેટે મારનને ચૂકવવા માટે 37.5 કરોડ રૂપિયાનો ચેક કોર્ટમાં રજૂ કર્યો હતો. મારને આનો અસ્વીકાર કર્યો અને સ્પાઇસજેટને આરટીજીએસ દ્વારા રકમ ટ્રાન્સફર કરવા વિનંતી કરી.
સ્પાઈસજેટે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરે બેંક રજાઓના કારણે તેઓ 10 સપ્ટેમ્બરની ચુકવણીની સમયમર્યાદા પૂરી કરી શક્યા નથી. દિલ્હી કોર્ટે સ્પાઇસજેટને બાકીની રકમ મંગળવાર સુધીમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થશે. સ્પાઈસજેટની વિનંતી પર, કોર્ટે મારન પાસેથી એક સોગંદનામું પણ માંગ્યું હતું, જેમાં તેને સ્પાઈસ જેટની સંપત્તિના ખુલાસાની ગુપ્તતા જાળવવાનું કહ્યું હતું.
સ્પાઇસજેટ પર મારનનું રૂ. 397 કરોડનું દેવું છે અને કોર્ટે 24 ઓગસ્ટે સ્પાઇસજેટને 10 સપ્ટેમ્બર સુધીમાં મારનને રૂ. 100 કરોડ ચૂકવવા અથવા એસેટ એટેચમેન્ટની કાર્યવાહીનો સામનો કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેના 31 જુલાઈના આદેશમાં આર્બિટ્રેશનના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સ્પાઈસ જેટ અને તેના માલિક અજય સિંહને એરલાઈનના ભૂતપૂર્વ પ્રમોટર કલાનિતિ મારનને વ્યાજ સહિત રૂ. 579 કરોડ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.