Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Narendra Modi Lok Sabha: આ પાંચ વર્ષ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે

PM Narendra Modi Lok Sabha: આજરોજ લોકસભામાં PM Narendra Modi એ સંબોધન આપ્યું.... અને જણાવ્યું હતું આવાનાર પાંચ વર્ષ દેશ માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે. In Lok Sabha, PM Narendra Modi says, "These five years were...
pm narendra modi lok sabha  આ પાંચ વર્ષ રિફોર્મ  પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે

PM Narendra Modi Lok Sabha: આજરોજ લોકસભામાં PM Narendra Modi એ સંબોધન આપ્યું.... અને જણાવ્યું હતું આવાનાર પાંચ વર્ષ દેશ માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે.

Advertisement

લોકસભામાં PM Narendra Modi એ કહ્યું, "આ પાંચ વર્ષ દેશમાં સુધારા, પ્રદર્શન અને પરિવર્તન વિશેના હતા. જો કે સુધારા અને પ્રદર્શન સંભવિત સંજોગોમા જોવા મળે છે. પરંતુ આપણે આપણી આંખની સામે જોઈ શકીયે છીએ કે, કઈ રીત દેશમાં પ્રરિવર્તન થઈ રહ્યું છે. 17મી લોકસભા દ્વારા દેશ આનો અનુભવ કરી રહ્યો છે અને હું દ્રઢપણે માનું છું કે દેશ 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે.

Advertisement

PM Narendra Modi એ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે વાત કરી અને તેમને કહ્યું, તમે હંમેશા હસતા હતા. તમારું સ્મિત ક્યારેય ઝાંખું પડ્યું ન હતું. તમે આ ગૃહને અનેક સંજોગોમાં સંતુલિત અને નિષ્પક્ષ રીતે માર્ગદર્શન આપ્યું છે, આ માટે હું તમારી પ્રશંસા કરું છું. જો કે ઘણા સંજોગોમાં ગુસ્સો કે આક્ષેપો કરવાની તમારી પાસે તક હતી, પરંતુ તમે ધીરજપૂર્વક પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ગૃહ ચલાવ્યું અને અમને માર્ગદર્શન આપ્યું. આ માટે હું તમારો આભાર માનું છું."

Advertisement

PM Narendra Modi એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સંસદનું નવું બિલ્ડીંગ હોવું જોઈએ તે અંગે દરેક જણ ચર્ચા કરતા હતા. પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો ન હતો. ત્યારે  લોકસભા અધ્યક્ષના નેતૃત્વમાં આ નિર્ણય લીધો, તે પછી તમારા સમર્થનને કારણે સરકાર સાથે બેઠક યોજી દેશમાં નવા સંસદ ભવનની સ્થાપના કરવામાં આવી.

PM Narendra Modi કહે છે કે, "ભારતને G20 પ્રેસિડેન્ટની તક મળી. ભારતને એક મોટું સન્માન મળ્યું. દેશના દરેક રાજ્યે ભારતની ક્ષમતા અને પોતાની ઓળખ દુનિયા સમક્ષ દર્શાવી હતી. તેની અસર વિશ્વના માનસ પર આજે પણ ચાલુ છે."

PM Narendra Modi એ કહ્યું કે, "Jammu-Kashmir ના લોકો સામાજિક ન્યાયથી વંચિત હતા. ત્યારે આજે મોદી સરકારના કાર્યભાલ દરમિયાન ત્યાંના લોકો સામાજિક ન્યાય મળ્યો છે. Jammu-Kashmir માં લોકો Terrorist ના આતંકનો શિકાર બની રહ્યા હતા. ત્યારે મોદી સરકારે તેમના સામે કડક પગલા લઈને ત્યાંના લોકોને ન્યાય અપાવ્યો છે.

PM Narendra Modi એ કહ્યું કે, "આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રાજકીય ગતિવિધિઓનું પોતાનું સ્થાન છે, પરંતુ તે નિશ્વિત છે. ત્યારે  દેશની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, સપના અને સંકલ્પ એ છે કે આ 25 વર્ષ એવા છે જેમાં દેશ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે."

PM Narendra Modi એ કહ્યું કે, " Lok Sabha ની Election હવે બહુ દૂર નથી, કેટલાક નેતાઓ Nervus હોઈ શકે છે. પરંતુ આ લોકશાહીનું એક આવશ્યક પાસું છે. આપણે બધા તેને ગર્વથી સ્વીકારીએ છીએ. હું માનું છું કે આપણી ચૂંટણીઓ દેશનું ગૌરવ વધારશે અને લોકશાહી પરંપરાને અનુસરશે - જે વિશ્વને આશ્ચર્યચકિત કરે છે."

આ પણ વાંચો: Haldwani: કોણ છે હલ્દ્વાની હિંસાનો માસ્ટર માઇન્ડ? આ વ્યક્તિને શોધી રહી છે પોલીસ

Tags :
Advertisement

.